નિત્યાનંદના 'દેશ' કૈલાસાએ UNની બેઠકમાં હાજરી આપી હતી? ટ્વીટ વાયરલ

પોતાને ભગવાનનો દરજ્જો આપનાર અને ભારતમાં આચરવામાં આવેલા અનેક ગુનાઓ માટે ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદના દેશ કૈલાસાએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપવાનો દાવો કર્યો છે. નિત્યાનંદ પર બળાત્કાર સહિતના ઘણા મોટા આરોપો લાગ્યા છે. તેને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કૈલાસાના પ્રતિનિધિએ UNની બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. જિનીવામાં યોજાયેલી આ બેઠકમાં કૈલાસાના પ્રતિનિધિએ કહ્યું કે, નિત્યાનંદ પર ભારત દ્વારા 'સતામણી' કરવામાં આવી હતી.

પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ કહેતી એક મહિલાએ મીટિંગમાં કૈલાસાનું પ્રતિનિધિત્વ કર્યું. CESCR (કમીટી ઓન ઈકોનોમિક, સોશ્યલ એન્ડ કલ્ચરલ રાઈટ્સ)ની બેઠકમાં તેણે પોતાને એમ્બેસેડર તરીકે ઓળખાવ્યા. તેનો વીડિયો સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણીએ કહ્યું, 'કૈલાસા એ હિંદુઓ માટેનો પહેલો સાર્વભૌમ દેશ છે, જેની સ્થાપના હિંદુ ધર્મના સર્વોચ્ચ પૂજારી નિત્યાનંદ પરમશીવમ દ્વારા કરવામાં આવી છે, જે હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરે છે અને હિંદુ ધર્મની 10,000 સ્વદેશી પરંપરાઓ, જેમાં આદિ શૈવ સ્વદેશી કૃષિ જાતિઓનો સમાવેશ થાય છે.'

મહિલા બોલ્યા પછી, કૈલાસાના પુરુષ પ્રતિનિધિએ તેનું નામ EN કુમાર જણાવ્યું. પોતાને 'નાના ખેડૂત' ગણાવતા આ વ્યક્તિએ ખેડૂતો સામે બહારના પક્ષો દ્વારા નિયંત્રિત સંસાધનો અંગે પ્રશ્નો પૂછ્યા. તેણે કહ્યું કે, 'ઘણી વખત, સ્થાનિક કાયદાઓ સ્વદેશી કૃષિ પદ્ધતિઓ પર ખૂબ પ્રતિબંધિત હોઈ શકે છે.' જ્યારે, એવો દાવો કરવામાં આવે છે કે કૈલાસ એક્વાડોરના કિનારે સ્થિત એક દેશ છે, જેનો પોતાનો ધ્વજ, પાસપોર્ટ અને રિઝર્વ બેંક પણ છે. ડિસેમ્બર 2020માં નિત્યાનંદે આ જગ્યા માટે ફ્લાઈટની જાહેરાત પણ કરી હતી.

કૈલાસની વેબસાઈટ પર તેને પૃથ્વી પરનું સૌથી મોટું હિન્દુ રાષ્ટ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક દેશ કે જે 'સીમા વિનાનો' છે અને તેણે વિસ્થાપિત હિંદુઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમણે 'પોતાના જ દેશમાં હિંદુ ધર્મ પાળવાનો અધિકાર ગુમાવ્યો છે'.

નિત્યાનંદ ભારતમાં થયેલા અનેક ગુનાઓમાં મુખ્ય આરોપી છે. જેમાં બાળકો પર બળાત્કાર, શોષણ અને બાળકોના અપહરણનો સમાવેશ થાય છે. તે 2019માં ભારતમાંથી ભાગી ગયો હતો. જાન્યુઆરી 2020માં, ઇન્ટરપોલે તેની સામે બ્લુ કોર્નર નોટિસ બહાર પાડી હતી. આ નોટિસ સભ્ય દેશો તરફથી અપરાધમાં સામેલ વ્યક્તિની ઓળખ, સ્થાન અને પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંગ્લોર નજીકના રામનગરમાં એક સ્થાનિક કોર્ટે 2010ના બળાત્કારના કેસમાં નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.