26th January selfie contest

નિત્યાનંદના 'દેશ' કૈલાસાએ UNની બેઠકમાં હાજરી આપી હતી? ટ્વીટ વાયરલ

PC: aajtak.in

પોતાને ભગવાનનો દરજ્જો આપનાર અને ભારતમાં આચરવામાં આવેલા અનેક ગુનાઓ માટે ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદના દેશ કૈલાસાએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપવાનો દાવો કર્યો છે. નિત્યાનંદ પર બળાત્કાર સહિતના ઘણા મોટા આરોપો લાગ્યા છે. તેને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કૈલાસાના પ્રતિનિધિએ UNની બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. જિનીવામાં યોજાયેલી આ બેઠકમાં કૈલાસાના પ્રતિનિધિએ કહ્યું કે, નિત્યાનંદ પર ભારત દ્વારા 'સતામણી' કરવામાં આવી હતી.

પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ કહેતી એક મહિલાએ મીટિંગમાં કૈલાસાનું પ્રતિનિધિત્વ કર્યું. CESCR (કમીટી ઓન ઈકોનોમિક, સોશ્યલ એન્ડ કલ્ચરલ રાઈટ્સ)ની બેઠકમાં તેણે પોતાને એમ્બેસેડર તરીકે ઓળખાવ્યા. તેનો વીડિયો સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણીએ કહ્યું, 'કૈલાસા એ હિંદુઓ માટેનો પહેલો સાર્વભૌમ દેશ છે, જેની સ્થાપના હિંદુ ધર્મના સર્વોચ્ચ પૂજારી નિત્યાનંદ પરમશીવમ દ્વારા કરવામાં આવી છે, જે હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરે છે અને હિંદુ ધર્મની 10,000 સ્વદેશી પરંપરાઓ, જેમાં આદિ શૈવ સ્વદેશી કૃષિ જાતિઓનો સમાવેશ થાય છે.'

મહિલા બોલ્યા પછી, કૈલાસાના પુરુષ પ્રતિનિધિએ તેનું નામ EN કુમાર જણાવ્યું. પોતાને 'નાના ખેડૂત' ગણાવતા આ વ્યક્તિએ ખેડૂતો સામે બહારના પક્ષો દ્વારા નિયંત્રિત સંસાધનો અંગે પ્રશ્નો પૂછ્યા. તેણે કહ્યું કે, 'ઘણી વખત, સ્થાનિક કાયદાઓ સ્વદેશી કૃષિ પદ્ધતિઓ પર ખૂબ પ્રતિબંધિત હોઈ શકે છે.' જ્યારે, એવો દાવો કરવામાં આવે છે કે કૈલાસ એક્વાડોરના કિનારે સ્થિત એક દેશ છે, જેનો પોતાનો ધ્વજ, પાસપોર્ટ અને રિઝર્વ બેંક પણ છે. ડિસેમ્બર 2020માં નિત્યાનંદે આ જગ્યા માટે ફ્લાઈટની જાહેરાત પણ કરી હતી.

કૈલાસની વેબસાઈટ પર તેને પૃથ્વી પરનું સૌથી મોટું હિન્દુ રાષ્ટ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક દેશ કે જે 'સીમા વિનાનો' છે અને તેણે વિસ્થાપિત હિંદુઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમણે 'પોતાના જ દેશમાં હિંદુ ધર્મ પાળવાનો અધિકાર ગુમાવ્યો છે'.

નિત્યાનંદ ભારતમાં થયેલા અનેક ગુનાઓમાં મુખ્ય આરોપી છે. જેમાં બાળકો પર બળાત્કાર, શોષણ અને બાળકોના અપહરણનો સમાવેશ થાય છે. તે 2019માં ભારતમાંથી ભાગી ગયો હતો. જાન્યુઆરી 2020માં, ઇન્ટરપોલે તેની સામે બ્લુ કોર્નર નોટિસ બહાર પાડી હતી. આ નોટિસ સભ્ય દેશો તરફથી અપરાધમાં સામેલ વ્યક્તિની ઓળખ, સ્થાન અને પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંગ્લોર નજીકના રામનગરમાં એક સ્થાનિક કોર્ટે 2010ના બળાત્કારના કેસમાં નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp