'ઓ બાબાજી! તમારા દેશને સંભાળો, જુઓ કંઇ રીતે તાલિબાનીએ પાકિસ્તાનને સંભળાવ્યું

અફઘાનિસ્તાનમાં ટીટીપી આતંકવાદીઓ સામેની કાર્યવાહીને લઈને તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. સોશિયલ મીડિયા પર અફઘાન જનરલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પાકિસ્તાનમાં મોંઘવારી અને શાહબાઝ શરીફ સરકારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી પર જોરદાર કટાક્ષ કર્યો છે. વીડિયોમાં તાલિબાન જનરલ મોબીન ખાને શાહબાઝ શરીફને કહ્યું કે તેઓ પોતાના દેશ પર ધ્યાન આપે.

તેણે કહ્યું, 'હે બાબાજી... તમારા દેશ અને તેની સ્થિતિઓને સંભાળો. IMFના દેવા અને ગુલામીમાંથી તમારી જાતને છોડાવી લો. તમે અમને શું મદદ કરી શકવાના? અહીં 10 કિલો ઘી રૂ.500માં અને ત્યાં (પાકિસ્તાન) રૂ.2000માં મળે છે. જનતાની તમે ચામડી કાઢી નાખી છે. જનતાના પૈસા લૂંટીને લંડન અને યુરોપમાં સંપત્તિ બનાવી છે. લોકોના પૈસાની ચોરી કરી છે. તમે મારા દેશમાં (અફઘાનિસ્તાન) કાયદાનો અભ્યાસ કરો છો.

મોબીન ખાનનો વીડિયો SAMRI અથવા સાઉથ એશિયા મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે જેમાં કેપ્શન છે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી એક ઈન્ટરસેક્સ માણસ છે અને અફઘાનિસ્તાન માટે બોલવાને બદલે તેઓ પોતાની માતાના હત્યારાઓને શોધે છે. ખાને કહ્યું, 'બિલાવલ ભુટ્ટો જરદારી કહી રહ્યા છે કે હું અફઘાનિસ્તાનની વકીલાત કરું છું. અફઘાનિસ્તાનના લોકો અનાથ છે. પોતાના માતાપિતાના હત્યારાઓને શોધો. કોણે માર્યા છે અને કયા કારણોસર તેમની હત્યા કરવામાં આવી છે? તમારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો.

જનરલ મોબીન તાલિબાનના કમાન્ડર છે અને સોશિયલ મીડિયા ટીમના ગ્રુપના પ્રમુખ છે. તે તાલિબાન શાસનના આંતરિક મંત્રીના નાના ભાઈ અને હક્કાની નેટવર્કના પ્રમુખ અનસ હક્કાનીની નજીક હોવાનું માનવામાં આવે છે. આ પહેલા તાલિબાને 1971ના યુદ્ધમાં ભારત સામે પાકિસ્તાનના આત્મસમર્પણ કર્યાની એક તસવીર શેર કરી હતી અને તેની મજાક ઉડાવી હતી. આ યુદ્ધના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ દ્વારા અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઠેકાણાઓ સામે સંભવિત સૈન્ય કાર્યવાહીના સંકેત આપ્યા બાદ બંને દેશો વચ્ચે શાબ્દિક યુધ્ધ શરૂ થઈ ગયું છે. તાલિબાન સરકારે પાકિસ્તાનના મંત્રીના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેનાથી બંને દેશોના સારા સંબંધોને નુકસાન થશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.