પાકિસ્તાનમાં અનાજનું સંકટ, ગેસ સિલિન્ડરની પણ જમાખોરી,શું શ્રીલંકા જેવી હાલત થશે?

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે કારણ કે આ દેશ વિદેશી મુદ્રા ભંડારનો ભારે કમી ઝેલી રહ્યો છે. પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં 6.7 બિલિયન અમેરિકન ડોલરનો ઘટાડો આવ્યો છે. આ વચ્ચે ચીને પણ અહીં રોકાણ ઓછું કરી દીધું છે. રાજનીતિય ઉથલપાથલે પણ અર્થ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલત એવા છે કે ભારે મોંઘવારી વચ્ચે દેશમાં રોકડના સંકટની સાથે સાથે ઉર્જાનું સંકટ પણ વધી ગયું છે.

શહબાઝ શરીફ સરકારે તેને જોતા ઉર્જાની ખપતમાં કટૌતી કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના નાગરિકોને વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. અલ અરબિયા પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનમાં આ સમયે વીજળીની આપૂર્તિ માંગથી આશરે 7000 મેગાવોટ ઓછી છે. ઉર્જા સંકટની વચ્ચે દેશના ઉત્તરી પશ્ચિમ વિસ્તાર એટલે કે ખૈબર પખ્તુખ્વા પ્રાંતમાં લોકો સિલિન્ડર માટે તરસી રહ્યા છે. ત્યાં લોકોને એક સિલિન્ડર માટે 10,000 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઘણા લોકો પ્લાસ્ટીકની થેલીમાં ગેસ ભરવા માટે મજબૂર બની રહ્યા છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે લોકોએ ઉર્જા સંકટને જોતા ગેસ સિલિન્ડરોને જમા કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનમાં ઉર્જા સંકટની સાથે અનાજ સંકટ પણ વધવા લાગ્યું છે. ડોન સમાચારના જણાવ્યા પ્રમાણે, દેશના ઘણા વિસ્તારોમાં ઘઉંનું સંકટ ઊભુ થયું છે. મતલબ પાકિસ્તાનમાં આવનારા દિવસોમાં રોટલી ખાવાના પણ લોકોને લાલા પડી શકે છે. જોકે કેન્દ્ર સરકારે ભરોસો અપાવ્યો છે કે ઘઉંની આયાત કરવામાં આવી રહી છે. સમાચાર પ્રમાણે, ઈસ્લામાબાદમાં 40 લોટની મિલોનું દૈનિક ઉત્પાદન 20 કિલો ઘઉંની 38000 બેગનું છે, પરંતુ મિલનો ઘઉં પર્યાપ્ત ન મળી રહ્યા હોવાના લીધે રોજની 17,000 ઘઉંની બેગમાં કમી જોવા મળી રહી છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રી તારિક બશીર ચીમાએ ઘઉંના સંકટ માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું છે કે તેમની સરકાર રાજ્યોની માંગ પ્રમાણે ઘઉં સપ્લાઈ કરશે. તેમણે ઘઉંની કાળાબજારી કરનારાઓને પણ આડે હાથ લીધા છે. તેમણે આ સંકટ માટે પંજાબ સરકારને દોષી ઠેરવી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે પડોશી દેશ શ્રીલંકામાં પણ ભારે મોંઘવારી અને ખરાબ અર્થ વ્યવસ્થાની વચ્ચે ભારે ઉર્જાનું પણ સંકટ જોવા મળ્યું હતું. પાવર કટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાવા-પીવાનો, રોજનો સામાન અને દવાની કમીના લીધે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી ભવનને કબ્જામાં કરી લીધું હતું. શ્રીલંકન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તે સૈન્ય જેટથી દેશ છોડી માલદીવ ભાગી જવું પડ્યું હતું.  

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.