ઇમારતની નીચે દીકરી દબાઈ ગઈ, મોત થયું, છતા પિતા હાથ પકડીને બેસી રહ્યા કે કદાચ...

તુર્કીમાં 15 વર્ષની વ્હાલસોયી દીકરી અને પિતા ઘરમાં સુતા હતા ત્યારે ભૂંકપના એક આંચકાએ પિતા- દીકરીને અલગ કરી દીધા. કાટમાળ નીચે દબાઇ જતા દીકરીનું મોત થયું અને પિતા તેનો હાથ પકડીને બેસી રહ્યા છે.

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે કે પછી ભલે તે દીકરી ભારતની હોય, અમેરિકાની હોય કે તુર્કીની હોય. તુર્કીમાં તાજેતરમાં ભૂંકપને કારણે અનેક જિંદગીઓ પળવારમાં વેરાન થઇ ગઇ, અનેક મિલ્કતો હતી ન હતી થઇ ગઇ. પરંતુ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, તે જોઇને તમારી આંખમાંથી આંસૂ સરી પડશે. ઇમારતની નીચે પોતાની વ્હાલસોયી દીકરી દબાઇ ગઇ હતી, પિતાને ખબર છે કે દીકરીનું મોત થયું છે, પરંતુ આમ છતા પિતા ઇમારત નીચે દબાયેલી નાનકડી દીકરીનો હાથ પકડીને સુમસામ બેસી રહ્યા છે.કદાચ, એવી આશામાં કે ઇશ્વર કોઇ ચમત્કાર કરે અને દીકરી પાછી ઉભી થઇ જાય. દરેક પિતાને દીકરી વ્હાલી હોય છે.

તુર્કીમાં ભૂંકપની આમ તો અનેક તસ્વીરો સામે આવી રહી છે, પરંતુ એક તસ્વીર લોકોને વિહવળ કરી રહી છે. લોકો આ તસ્વીર જોઇને કહી રહ્યા છે કે, કુદરત આટલો નિષ્ઠુર કેમ હશે કે એક  નાનકડી દીકરીને છીનવીને પિતાનું જીવન વેરાન કરી નાંખ્યુ.

દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં તબાહી મચાવનાર બે ભૂકંપમાં અંદાજે 7800 લોકોના મોત થયા છે. તુર્કીના ભૂંકપના  અનેક વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, પરંતુ Kahramanmaraş વિસ્તારમાં એક મકાન નીચે દબાઇ ગયેલી દીકરીના હાથ પકડીને બેઠેલા પિતાની તસ્વીર સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહી છે. સોમવારે આ પિતાની દીકરીનું મોત થયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ Mesut Hancer નામની વ્યકિત અને તેમની 15 વર્ષની દીકરી Irmak જ્યારે ઘરમાં સુતા હતા ત્યારે ભૂકંપની આંચકા તેમનું મકાન જમીન દોસ્ત થઇ ગયું હતું અને પલંગ પર સુતેલી દીકરી ઉંઘમાં જ મોતને વ્હાલી થઇ ગઇ હતી. પિતા માટે આ સદમો સહન કરવો મુશ્કેલ હતો. Mesut Hancer પોતાની 15 વર્ષની દીકરીનો હાથ પકડીને બેસી રહ્યો છે કે, કદાચ ચમત્કાર થાય અને દીકરી જીવતી થઇ જાય.

તુર્કીમાં પહેલા 7.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો અને થોડા સમય પછી બીજો ભૂંકપ આવ્યો જેની તીવ્રતા 7.7ની હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.