'કુરાન સળગાવનારાઓ, મુસ્લિમો તમને નહીં છોડે', ઈસ્લામિક દેશની ચેતવણી

છેલ્લા કેટલાક મહિનાઓથી યુરોપિયન દેશોમાંથી મુસ્લિમોના પવિત્ર પુસ્તક 'કુરાન'ના અપમાનના અહેવાલો આવી રહ્યા છે. ગયા મહિને સ્વીડન અને ડેનમાર્કમાંથી કુરાન સળગાવવાના અને ફાડવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે નોર્વેમાં આવા જ એક ઈસ્લામ વિરોધી પ્રદર્શનમાં કુરાનને બાળવાની તૈયારી ચાલી રહી હતી, જેને તુર્કીની મદદથી અટકાવી દેવામાં આવી છે. દરમિયાન, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વડાએ કહ્યું છે કે કુરાન સળગાવનારાઓને મુસ્લિમો ક્યારેય બક્ષશે નહીં.

નોર્વેમાં વિરોધ પ્રદર્શનમાં કુરાન બાળવું ગેરકાયદેસર નથી. સ્વીડન અને ડેનમાર્કની ઘટનાઓથી પ્રેરિત થઈને કેટલાક ઈસ્લામિક વિરોધી લોકો આ અઠવાડિયે શુક્રવારે નોર્વેમાં કુરાનને બાળવાના હતા. તુર્કીના વિદેશ મંત્રાલયે એના સંકેત મળતાની સાથે જ નોર્વેના રાજદૂતને ફરિયાદ કરવા બોલાવ્યા, જેના કલાકો પછી ગુરુવારે ઇસ્લામિક વિરોધી પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓના એક જૂથે શુક્રવારે ઓસ્લોમાં તુર્કી દૂતાવાસની બહાર કુરાનની નકલ સળગાવવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું, 'કુરાન બાળવી એ નોર્વેમાં રાજકીય વિચારો વ્યક્ત કરવાનો કાનૂની માર્ગ છે. પરંતુ સુરક્ષાના કારણોસર આ પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે.'

તુર્કીએ ગુરુવારે નોર્વેમાં ઈસ્લામ વિરોધી લોકો દ્વારા કુરાનને બાળવાની યોજનાની સખત નિંદા કરી હતી. તુર્કીએ આ પગલાને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. તુર્કીના વિદેશ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે મંત્રાલયે પ્રદર્શન રોકવા માટે કહ્યું છે.

નોર્વેના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમારા રાજદૂતે તુર્કી દ્વારા બોલાવવામાં આવતા નોર્વેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકારનો ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે, નોર્વેની સરકાર આયોજિત પ્રદર્શનમાં ન તો સમર્થન આપે છે કે ન તો તેમાં ભાગ લે છે. પોલીસ ત્યારે જ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી શકે છે જ્યારે લોકો પર જોખમ હોય.'

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વડા મેજર જનરલ હોસૈન સલામીએ ગુરુવારે યુરોપમાં કુરાનની અપમાનની આ ઘટનાઓ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે કુરાનનું અપમાન કરનારાઓને સજાની ધમકી આપી હતી.

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNAએ મેજરને ઉલ્લેખીને કહ્યું કે, 'આજે અમે ઈસ્લામ અને કુરાનના રક્ષક છીએ... જે લોકો કુરાન બાળી રહ્યા છે, અમે તે લોકોને કહેવા માંગીએ છીએ કે, આ જ આગ એક દિવસ તમારા શરીરને પકડી લેશે. અને તમે લાશ બની જશો. આજથી તમે બધા બચીને જ રહેશો, અને દરરોજ રાત્રે ખરાબ સપના જુઓ, ભલે દાયકાઓ પસાર થઈ જાય, પરંતુ મુસ્લિમો તમને છોડશે નહીં.'

ગયા મહિને સ્વીડનમાં, ઘણા શહેરોમાં કટ્ટર દક્ષિણપંથી લોકોએ કુરાનની નકલોને આગ લગાવી હતી. નેધરલેન્ડમાં પણ એક કટ્ટર દક્ષિણપંથી ઈસ્લામ વિરોધી નેતાએ દેશની સંસદની સામે કુરાન પર ઉભા રહીને કુરાનની નકલ ફાડી નાંખી. પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી અને તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. તુર્કી સહિત વિશ્વભરના મુસ્લિમ દેશો અને સંગઠનોએ આ તમામ ઘટનાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.