રાવણના દેશમાં ગુંજશે શ્રીરામનો નાદ, બનશે રામાયણ સર્કિટ

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં તો ભવ્ય રામ મંદિર બની જ રહ્યું છે. અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ પ્રભુ શ્રીરામની મહિમાના ગુણગાન હશે. ભારતીય પર્યટકો માટે ખાસ કરીને શ્રીલંકામાં રામાયણ સર્કિટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ એ સ્થળ છે, જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા. એટલું જ નહીં અહીં સીતા સર્કિટ પણ હશે. સીતાજીને રાવણે અહીં અશોક વાટિકામાં રાખ્યા હતા. રામાયણ સર્કિટની ખાસ વાત એ છે કે, તેને જોવા માટે ભારતીય શ્રદ્ધાળુઓને એક ખાસ સુવિધા પણ આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં ભારતીય કરન્સી એટલે કે ભારતીય રૂપિયા પણ ચાલશે.

શ્રીલંકાના ભારતીય મહાકાવ્યની સાથે એક સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ છે. રામાયણમાં વર્ણન છે કે, જે આજે શ્રીલંકા છે આ જ લંકાના રાજા દશાનન એટલે કે રાવણે જ્યારે સીતા મૈયાનું અપહરણ કર્યુ હતું, ત્યારે ભગવાન રામે લંકામાં યુદ્ધ લડ્યું અને રાવણનો વધ કર્યો હતો. રાવણ મહાન વિદ્વાન હતો. રામાયણમાં એ વાતનું પણ વર્ણન છે કે, ભગવાન રામે પોતે લક્ષ્મણને કહ્યું હતું કે, તેઓ રાવણ પાસેથી જ્ઞાનની વાતો ગ્રહણ કરે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા રામાયણ સર્કિટને ફરીથી બનાવવાની પ્રક્રિયામાં છે, તેમા એક અલગ સીતા સર્કિટ પણ સામેલ છે.

શ્રીલંકામાં એવા ઘણા ઐતિહાસિક સ્થળ છે, જેનું વર્ણન રામાયણમાં છે. શ્રીલંકામાં કેટલાક લોકપ્રિય રામાયણ ટ્રેલ્સમાં સિગિરિયા સામેલ છે, અહીં પથ્થરોમાંથી નિર્મિત એક પ્રાચીન કિલ્લો છે, જેને રાજા રાવણનો મહેલ જણાવવામાં આવે છે. માન્યતા છે કે, રાવણે સીતાજીને સિગિરિયા પહાડીની નજીક એક ગુફામાં બંદી બનાવીને રાખ્યા હતા. તે શ્રીલંકામાં પર્યટકોની પહેલી પસંદ પણ છે. તેમજ, નુવારા એલિયા શહેરમાં અશોક વાટિકા એક અન્ય લોકપ્રિય સ્થળ છે. માન્યતા અનુસાર, આ એ જ સ્થળ છે જ્યાં સીતા મૈયાને રાખવામાં આવ્યા હતા. અહીં સીતાજીને હનુમાનજી મળ્યા હતા અને તેમને ભગવાન રામની અંગુઠી આપી હતી.

ત્રિંકોમાલી શહેરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે કોઈક ને કોઈક રૂપમાં રામાયણકાળ સાથે સંકળાયેલા છે. કોનેશ્વરમ મંદિર એવુ જ એક પ્રાચીન મંદિર છે. માનવામાં આવતું રહ્યું છે કે, આ મંદિરનું નિર્માણ ભગવાન રામે ભગવાન શિવજીના સન્માનમાં કરાવ્યું હતું. રામાયણ કાળ સાથે સંબંધિત એવા જ કેટલાક સ્થળો છે, જેને શ્રીલંકામાં જોઈ શકાશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.