ચર્ચમાં 600 બાળકોનું યૌન શોષણ, તેમાં 156 પાદરી પણ સામેલ

અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટમાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં 156 કેથોલિક પાદરિઓએ કેટલાક અન્ય લોકો સાથે મળીને 80 વર્ષોમાં એટલે કે 1940થી લઇને અત્યારસુધી 600 કરતા વધુ બાળકોનું યૌન શોષણ કર્યું છે. મેરીલેન્ડના એટર્ની જનરલ એન્થની બ્રાઉને બુધવારે 463 પાનાનો આ રિપોર્ટ જાહેર કર્યો. 4 વર્ષ સુધી તપાસ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમા પાદરીઓના દુર્વ્યવહાર અને ચર્ચ પ્રબંધન દ્વારા મામલાને સંતાડવાની આખી ડિટેલ સામેલ છે. આ અપરાધમાં બાલ્ટીમોરના આર્ચડાયસિસના સભ્યોના સામેલ હોવાની વાત સામે આવી છે. આ અમેરિકાનો પહેલો કેથોલિક સૂબો છે. નવો રિપોર્ટ રોમન કેથોલિક ચર્ચમાં થતા યૌન શોષણના દાયકાઓ લાંબા ખુલાસામાં એક નવી કડી છે.

યૌન શોષણ સાથે સંકળાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અપરાધોમાં મોટાભાગે એ બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા જે મજબૂર હતા અને ચર્ચમાં ઘણા નાના કામ કરતા હતા. શોષણ દરમિયાન આ બાળકોને કહેવામાં આવતું હતું કે, આ ભગવાનની મરજી છે. તેમજ તેમને ધમકી પણ આપવામાં આવતી હતી કે જો તેમણે કોઇને આ વિશે કંઇ કહ્યું તો તેમના પરિવારના લોકો નર્કમાં જશે.

હાલમાં મેરીલેન્ડ સીનેટે એક બિલ પાસ કર્યું છે. તે અંતર્ગત યૌન શોષણ વિરુદ્ધ કેસ દાખલ કરવાની સીમાઓને નિરસ્ત કરી દેવામાં આવી છે. નવા કાયદા અંતર્ગત, ભલે મામલો ગમે તેટલો જૂનો હોય, પીડિત તેના સંબંધમાં કેસ દાખલ કરાવી શકે છે. સ્ટેટના કેથોલિક કોન્ફ્રેન્સે આ બિલનો વિરોધ કરતા તેને ખોટું અને અસંવેધાનિક ગણાવ્યું હતું.

મેરીલેન્ડના આ રિપોર્ટમાં એવા કોઇપણ આરોપીનું નામ સામે નથી આવ્યું જે હાલ પાદરી વર્ગમાં સેવા કરી રહ્યું છે. મોટાભાગના આરોપીઓના પહેલા મોત થઈ ચુક્યા છે. રિપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપનારા બાલ્ટિમોરના જજ ટેલરે કહ્યું- આરોપીઓના મૃત્યુ બાદ અમે તમામ મામલાઓનો ખુલાસો અને તેની ગણતરી કરીને જ પીડિતોને ન્યાય અપાવી શકીએ છીએ. 456 પાનાનો રિપોર્ટ બનાવવામાં બે એટર્ની જનરલ સામેલ હતા. તેને સમય-સમય પર જ્યૂરી દ્વારા જાહેર કરવામાં આવેલા સમનોને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમા કર્મીઓના રેકોર્ડ, મેડિકલ અને સાઇકોલોજિકલ હેલ્થ ડોક્યૂમેન્ટ્સ, ઓફિશિયલ ચર્ચ નીતિઓ જેવા હજારો દસ્તાવેજો સામેલ કરવામાં આવ્યા છે. એટર્ની જનરલ બ્રાઉને પોતાની ઓફિસમાં યૌન શોષણનો મામલો દાખલ કરાવવા માટે એક હોટલાઇન પણ સ્થાપિત કરી છે. તેમના અનુસાર, તેના દ્વારા અત્યારસુધી 300 કરતા વધુ લોકો સંપર્ક કરી ચુક્યા છે.

રિપોર્ટમાં એવા 33 પાદરી સામેલ છે જેમના નામ પહેલા કોઈ મામલામાં સામે નહોતા આવ્યા. સાથે જ ચર્ચ સાથે સંકળાયેલા 146 આરોપીઓના નામ છે, જેમા મોટાભાગના પુરુષ છે જે પુજારી તરીકે સેવા કરી ચુક્યા છે. આ ઉપરાંત, 10 લોકો એવા છે જેમના નામ હજુ સામે નથી આવ્યા. રિપોર્ટ અનુસાર, આ લોકો હજુ પણ જીવિત હોઇ શકે છે અને શક્ય છે કે અત્યારસુધી તેમની ઓળખ ના કરવામાં આવી હોય. તેમજ, તેમા ચર્ચ પ્રબંધનના કેટલાક એવા લોકોનો પણ ઉલ્લેખ છે જેમણે અપરાધ છૂપાવવામાં આરોપીઓની મદદ કરી હતી.

કેથોલિક ચર્ચમાં યૌન શોષણ સ્કેન્ડલ 20 વર્ષો કરતા વધુ સમયથી સામે આવતું રહ્યું છે. સૌથી પહેલા તેનો ખુલાસો 2002માં ધ બોસ્ટન ગ્લોબ મીડિયા કંપનીએ કર્યો હતો. તેમણે ચર્ચમાં સગીરોની સાથે થનારા શોષણ પર એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. ત્યારબાદ 5 પાદરીઓ પર ક્રિમિનલ કેસ ચલાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ઘણા પીડિતોને ખુલીને સામે આવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને થોડાં જ સમયમાં યૌન શોષણના 249 મામલા દાખલ કરવામાં આવ્યા હતા.

About The Author

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.