રશિયા 36 કલાક યુક્રેન પર હુમલો નહીં કરે, આ વ્યક્તિના કારણે પુતિને આદેશ આપ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં 6 જાન્યુઆરીની બપોરથી 7 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી 36 કલાકના યુદ્ધવિરામ માટે સેનાને આદેશ આપ્યો હતો. ઓર્થોડોક્સ ક્રિસમસની ઉજવણી માટે આ જાહેરાત કરવામાં આવી છે. પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, ઓર્થોડોક્સ ક્રિસમસના અવસર પર 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર કોઈ હુમલો નહીં થાય. યુદ્ધવિરામની ઓફર કરતાં, પુતિને રશિયન સૈન્યને યુક્રેન પર 36 કલાક સુધી ગોળીબાર ન કરવા સૂચના આપી છે.

પુતિને કહ્યું કે, તેઓ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા, પેટ્રિઆર્ક કિરીલની અપીલને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઓર્થોડોક્સ ક્રિસમસના અવસર પર ચર્ચના વડાએ યુદ્ધવિરામની અપીલ કર્યા પછી રશિયન સેનાને આદેશ આપવામાં આવ્યો હતો. પુતિને યુક્રેનને પણ કામચલાઉ યુદ્ધવિરામમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. સંઘર્ષ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ હશે.

અહીં તમને જણાવી દઈએ કે, રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા પેટ્રિઆર્ક કિરીલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી છે. જ્યારે, તે યુક્રેન પરના આક્રમણના અગ્રીમ સમર્થક પણ છે. જો કે, તેમના આ સમર્થનથી અન્ય ઘણા પાદરીઓ નારાજ થયા છે.

તમને બતાવી દઈએ કે, રશિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. એક નિવેદન અનુસાર, પુતિને કહ્યું, 'મોટી સંખ્યામાં રૂઢિચુસ્ત નાગરિકો યુદ્ધ ઝોનમાં રહે છે, તેથી અમે યુક્રેનિયન પક્ષને યુદ્ધવિરામમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને તેમને નાતાલના આગલા દિવસે તેમજ ઈસા મસીહના જન્મદિવસ પર સેવાઓમાં ભાગ લેવાનો અવસર આપીએ છીએ.'

આમ જોવા જઈએ તો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિશ્વના 12 ટકા ખ્રિસ્તીઓ ઉજવણી માટે 7 જાન્યુઆરી સુધી રાહ જુએ છે. હકીકતમાં, ઓર્થોડોક્સ ક્રિસમસ વિશ્વભરમાં લગભગ 260 મિલિયન લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ લોકો રશિયા અને ગ્રીસ જેવા પૂર્વ યુરોપના બહુમતી-ઓર્થોડોક્સ દેશોમાં અને ઇથોપિયા, ઇજિપ્ત અને અન્ય સ્થળોએ રહે છે.

રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ માને છે કે, ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હોવાના એવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી. તેઓ માને છે કે, ઈતિહાસ મુજબ તે રોમન સમ્રાટ સીઝર ઓગસ્ટસ (જેને ઓક્ટાવીયસ તરીકે પણ ઓળખવામાં આવે છે) હતા, જેમણે આ તારીખ (ડિસેમ્બર 25) લોકોને એક સાથે લાવવા માટે લાવી હતી, જેમાંથી ઘણા મૂર્તિઓની પૂજા કરતા હતા.

ઈસુ ખ્રિસ્તના જન્મને સત્તાવાર રીતે ક્યારે માન્યતા આપવી જોઈએ, તે અંગે 325 ADથી મતભેદ ચાલ્યા આવે છે. તેથી જ કેટલાક રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ 7મી જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.