સાઉદી અરબના મદીનામાંથી મોટો મળ્યો ખજાનો, સરકાર થઈ ખુશ

સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળ્યો છે. આ વાત સાઉદી અરબની સરકારને ઘણી ખુશ કરી દે તેવી છે, કારણ કે સોનાનો નવો ભંડાર મળવાના કારણે આંતરરાષ્ટ્રીય અને દેશના સ્થાનિક રોકાણકારોને વધારે આકર્ષિત કરશે. જેનાથી માઈનિંગ સેક્ટરમાં વધારે રોકાણ કરવાની આશા રહેશે. સાઉદી અરબના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે સોના અને તાંબાના નવા સ્થળોના મળવાની જાહેરાત કરી છે. સાઉદી અરબના જે વિસ્તારમાં સોનાના સ્થળો મળ્યા છે, તે મદીનાના અબા અલ-રાહા, ઉમ્મ અલ-બરાક શીલ્ડ, હિજાજની સીમાઓથી પણ વધારે છે.

મદીનાના આ વિસ્તારમાં સોનાની શોધ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલ ઉમ્મ અલ-બરાક શીલ્ડમાં સોનાના અયસ્કની કમી હતી. મળેલા રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબમાં સોના અને તાંબાના સ્થળોની થયેલી નવી શોધના કારણે  સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરવાની સાથે આશરે ચાર હજારની નજીક નોકરીઓની તક પણ મળશે તેવી આશા જતાવવામાં આવી રહી છે. સાઉદી અરબમાં થયેલી નવી શોધે લઈને વિશ્લેશકોનું માનવું છે કે આ નવી શોધથી સાઉદી અરબમાં ખનન માટે નવી સંભાવનાઓ વધશે. આ સાથે જ આ ક્ષેત્રમાં રોકાણની પણ તકો વધશે.

સોના અને તાંબાના નવા ભંડારાની શોધ સાઉદી સરકારના માઈનિંગ સેક્ટરને મજબૂત કરશે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝ 2030 માટે એક સહારો બનશે. એમબીએસના આ વિઝનમાં વર્ષ 2030 સુધી સાઉદી અરબની આત્મ નિર્ભરતા તેલથી હટીને બીજી અલગ અલગ વસ્તુઓ ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. તમને જણાવી દઈએ કે સાઉદી અરબ સોનાના સૌથી મોટા ધારક તરીકે દુનિયામાં 18મા સ્થાન પર છે અને ખાસ કરીને અરબ દેશોમાં પોતાના ભંડારના મામલામાં સૌથી ઉપર છે. તેવામાં સોના અને તાંબાના નવા ભંડાર મળવાથી તેનો ઘણો ફાયદો સરકારને ભવિષ્યમાં મળવાનો છે.

ગયા જુલાઈ મહિનામાં સાઉદી સરકારે ઈન્ડ્સ્ટ્રી એન્ડ મિનરલ રિસોર્સ મિનિસ્ટર ખાલિદ અલ મુદેફેરએ કહ્યું હતું કે, ગયા વર્ષે સાઉદી અરબમાં માત્ર ખનન ઉદ્યોગથી જ 8 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થયું હતું. મંત્રીના કહેવા પ્રમાણે, માઈનિંગ માટે રોકાણને પ્રોત્સાહિત કરનારા કાયદા પછી વિદેશી રોકાણમાં વધારો થયો છે. વર્ષ 2022ની શરૂઆતમાં જ ખાડી દેશ સાઉદી અરબે કહ્યું હતું કે તે આ દશકના અંત સુધીમાં માઈનિંગ સેક્ટરમાં 170 બિલિયન ડોલરના રોકાણની આશા કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.