સાઉદીમાં ઉમરાહ કરવા જઈ રહેલા યાત્રિઓની બસ પલ્ટી, 20ના મોત, 29ને ઈજા

હાલ, મુસ્લિમોનો પવિત્ર મહિનો રમજાન ચાલી રહ્યો છે ત્યારે, સાઉદી અરબમાંથી દુઃખના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરબમાં તીર્થ યાત્રિઓને મક્કા લઇને જઇ રહેલી એક બસ પુલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા જ્યારે, 29 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. બસ યાત્રિઓને ઉમરાહ માટે મક્કા લઈને જઈ રહી હતી. ત્યારે સાઉદીના અસીર રાજ્યની પાસે બ્રેક ફેલ થવાથી બસ પુલ સાથે અથડાઇને પલટી મારી ગઈ અને આ દરમિયાન બસમાં આગ લાગી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસમાં સવાર યાત્રિ અલગ-અલગ દેશોના હતા. જોકે, તે કયા દેશો છે તે અંગે જાણકારી હજુ સુધી સામે આવી નથી. દુર્ઘટના થતા જ સિવિલ ડિફેન્સની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

તેમજ, 26 માર્ચે સાઉદી સરકારે ઉમરાહને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. સરકારે જાહેરાત કરી જણાવ્યું હતું કે, રમજાનના મહિનામાં હાજી માત્ર એક વાર જ ઉમરાહ કરી શકે છે. કોઈપણ યાત્રિને બેવાર ઉમરાહ કરવાની પરવાનગી આપવામાં નહીં આવશે. હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું કે, હાજીઓની સુરક્ષા અને સુવિધાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાઉદી સરકારે ગાઇડલાઇનમાં કહ્યું છે કે, તમામ યાત્રિ ઉમરાહ માટે નક્કી સમય મર્યાદાનું પાલન કરે. સાથે જ પરમિટ માટે નુસુક એપનો જ ઉપયોગ કરે. જો કોઈ યાત્રિ પરમિટ મળ્યા બાદ પણ ઉમરાહ માટે ના જઈ શકે તો તેનું બુકિંગ રદ્દ થઈ જશે.

શું છે ઉમરાહ?

ઉમરાહ હજની જેમ જ એક મુસ્લિમ ધાર્મિક યાત્રા છે. સાઉદી અરબમાં હજના સમયને છોડીને યાત્રિ ક્યારેય પણ ઉમરાહ માટે જઈ શકે છે. જોકે, રમજાનના મહિનામાં તેના માટે સૌથી વધુ ભીડ હોય છે. આ યાત્રાની સમય મર્યાદા 15 દિવસની હોય છે. ઉમરાહના દિવસોમાં યાત્રિ આશરે આઠ દિવસ મક્કા અને સાત દિવસ મદીનામાં સમય વીતાવે છે.

સાઉદી અરબની બહારના યાત્રિઓને ઉમરાહ માટે સ્પેશિયલ વિઝાની જરૂર હોય છે. આ વિઝા એક મહિના સુધી માન્ય રહે છે. સાઉદી અરબ અને આસપાસ રહેતા લોકો કોઈપણ પ્રકારના ખાસ દસ્તાવેજ વિના ઉમરાહ કરી શકે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.