ઓસ્ટ્રેલિયામાં રોકાઇ રહ્યો નથી મંદિરો પર હુમલા, 15 દિવસમાં ત્રીજી ઘટના

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના બંધ થવાનું નામ લઇ રહી નથી. સોમવારે એવું ત્રીજી વખત બન્યું જ્યારે આ પ્રકારનો હુમલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં પખવાડિયાની અંદર ત્રીજા મંદિરમાં તોડફોડ થઇ છે. મેલબર્નના અલ્બર્ટ પાર્કમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) મંદિરના સંચાલને સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મંદિર પરિસરમાં તોડફોડ કરવામાં આવી અને દીવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ના નારા લખવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ છે. ઇસ્કોન મંદિરના કમ્યુનિકેશન ડિરેક્ટર ભક્ત દાસે કહ્યું કે, અમે આ ઘટનાથી હેરાન અને ગુસ્સામાં છીએ. અમારા પૂજા સ્થળનું અપમાન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇને વિક્ટોરિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે CCTV ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. તેનાથી કંઇક મહત્ત્વના પુરાવા મળવાની આશા છે.

આ અગાઉ 16 જાન્યુઆરીના રોજ ખલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ભારત-વિરોધી વાતો લાખી હતી અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. વિક્ટોરિયા પ્રાંતમાં અઠવાડિયાની અંદર મંદિરને નુકસાન પહોંચાડવાની આ બીજી ઘટના હતી. કાર્રૂમ ડાન્સમાં સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિરને નુકસાન પહોંચાડવાની આ વાત એ સમયે બહાર આવી, જ્યારે તામિલ હિન્દુ સમુદાયના ત્રીજા લાંબા તહેવાર ‘થાઇ પોંગલ’ પર દર્શન માટે શ્રદ્ધાળુ મંદિર પહોંચ્યા હતા.

12 જાન્યુઆરીના રોજ મેલબર્ન સ્થિત સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી વાતો લખવામાં આવી અને અસામાજિક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી. આ બંને ઘટનાઓ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાઅને તપાસ કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ઘટનાથી ઓસ્ટ્રેલિયન સરકારને અવગત કરાવવામાં આવી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. અમે આ ઘટનાઓની નિંદા કરીએ છીએ. મેલબર્ન સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ મામલાને સ્થાનિક પોલીસ સમક્ષ પણ ઉઠાવ્યો છે. અમે ઘટનાની તપાસ જલદી કરવા દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી અને ભવિષ્યમાં એવી ઘટનાઓને રોકવાની અપીલ કરી છે.

સાંસદના ફેડરલ મેમ્બર ઓશ બર્ન્સે કહ્યું કે, અલ્બર્ટ પાર્કમાં હરે કૃષ્ણ મંદિર પર નિંદાસ્પદ હુમલા બાબતે જાણીને હું સ્તબ્ધ રહી ગયો. હાલના અઠવાડિયામાં મેલબર્નમાં હિન્દુ પૂજા સ્થળો વિરુદ્ધ બર્બરતાની આ ત્રીજી ઘટના છે. તો IT કન્સલ્ટેન્ટ અને ઇસ્કોન મંદિરના ભક્ત શિવેશ પાંડેએ કહ્યું કે, વિક્ટોરિયા પોલીસ છેલ્લા 2 અઠવાડિયામાં એ લોકો વિરુદ્ધ કોઇ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. જે શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ પોતાનો નફરતભર્યો એજન્ડા ચલાવી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.