1 કિલો ગાંજાની તસ્કરી બદલ એક ભારતીયને આ દેશમાં આપવામાં આવી ફાંસી

સિંગાપોરમાં બુધવારે એક કિલોગ્રામ ગાંજાની તસ્કરીના ષડયંત્રના દોષી એક કેદીને ફાંસી આપવામાં આવી. તેના માટે રાજ્યમાં મોતની સજાને સમાપ્ત કરવાની આંતરરાષ્ટ્રીય અપીલની પણ અવગણના કરવામાં આવી. સિંગાપોર માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા ફાંસી પર તાત્કાલિક પુનર્વિચાર કરવા અને તેને રોકવા માટે બ્રિટિશ ટાઇકૂન રિચર્ડ બ્રેનસન દ્વારા કોલ કરવાના અનુરોધ છતા ફાંસી આપવામાં આવી. સિંગાપોર જેલ સેવાના એક પ્રવક્તાએ એએફપીને જણાવ્યું, સિંગાપોરના 46 વર્ષીય તંગારાજૂ સુપ્પૈયાને આજે ચાંગી જેલ પરિસરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો.

તંગારાજૂને 2017માં તસ્કરીના ષડયંત્રમાં સામેલ હોવા માટે ઉશ્કેરવાનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો. તેને 2018માં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને કોર્ટ ઓફ અપીલે નિર્ણયને જાળવી રાખ્યો હતો. સિંગાપોરમાં મોતની સજા માટે ગાંજાની આવશ્યક ન્યૂનતમ માત્રા બેવાર 1017.9 ગ્રામ છે. જીનેવા સ્થિત ગ્લોબલ કમિશન ઓન ડ્રગ પોલિસીના સભ્ય બ્રેનસને પોતાના બ્લોગ પર લખ્યું કે, ધરપકડના સમયે તંગારાજૂ પાસે કંઈ નહોતું અને સિંગાપોર એક નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનારો હોઇ શકે છે.

સિંગાપોરના ગૃહ મામલાના મંત્રાલયે જવાબ આપ્યો કે, તંગારાજૂનો અપરાધ એક ઉચિત શંકાથી વિપરીત સાબિત થયો છે. મંત્રાલયે કહ્યું કે, અભિયોજકોએ કહ્યું કે, બે મોબાઇલ ફોન નંબર તેના છે, જેનો ઉપયોગ દવાઓના વિતરણને સમન્વયિત કરવા માટે કરવામાં આવ્યો હતો. દુનિયાના ઘણા હિસ્સાઓમાં, પાડોશી થાઈલેન્ડ સહિત કેનબિસને ડિક્રિમિનલાઇઝ કરવામાં આવ્યો છે. અધિકાર ગ્રુપ સિંગાપોર પર મૃત્યુદંડને સમાપ્ત કરવા માટે દબાણ બનાવી રહ્યું છે. એશિયન નાણાકીય કેન્દ્રમાં દુનિયાના કેટલાક સૌથી કડક નશીલા પદાર્થ વિરોધી કાયદો છે અને તેનું કહેવુ છે કે, મોતની સજા તસ્કરી વિરુદ્ધ એક પ્રભાવી નિવારક બની છે. પરંતુ, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્તનું કાર્યલય અસહમત છે.

ઓએચસીએચઆરએ એક નિવેદનમાં કહ્યું, મૃત્યુદંડની સજા હજુ પણ કેટલાક દેશોમાં આપવામાં આવે છે, મુખ્યરૂપે એક ભ્રમણાને કારણે કે તે અપરાધને અટકાવે છે. તંગારાજૂના પરિવારે ક્ષમાદાનની અરજી કરી હતી. બુધવારે આપવામાં આવેલી ફાંસી છેલ્લાં છ મહિનામાં પહેલી અને રાજ્યમાં ગત વર્ષમાં 12મી છે. સિંગાપોરે બે વર્ષથી વધુ સમયના અંતરાલ બાદ માર્ચ 2022થી તેને ફરી શરૂ કરી દીધી છે.

જે લોકોને ફાંસી આપવામાં આવી, તેમા નાગેંથ્રન કે. ધર્મલિંગમ પણ હતા, જેમની ફાંસી પર સંયુક્ત રાષ્ટ્ર અને બ્રેનસન સહિત વૈશ્વક આક્રોશ ફેલાઈ ગયો કારણ કે, તેમને માનસિકરૂપે અક્ષમ માનવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રનું કહેવુ છે કે, મૃત્યુદંડ વિશ્વ સ્તર પર એક પ્રભાવી નિવારક સાબિત નથી થયું અને આંતરરાષ્ટ્રીય માનવાધિકારની સાથે અસંગત છે, જે માત્ર સૌથી ગંભીર અપરાધો માટે મૃત્યુદંડની અનુમતિ આપે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.