પાકિસ્તાનના ગૃહમંત્રી પર થયો જૂતાથી હુમલો, આવી રીતે બચીને નીકળ્યા સનાઉલ્લાહ

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ પર પંજાબ વિધાનસભાની બહાર જૂતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે જૂતા તેને વાગ્યા ન હતા. પરંતુ તેમની કારની વિન્ડશીલ્ડ પર જઈને પડ્યું હતું. જ્યારે જૂતાથી રાણા સનાઉલ્લાહ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ પંજાબ વિધાનસભાથી બહાર તરફ જઈ રહ્યા હતા. આ હુમલા પછી રાણા સનાઉલ્લાહની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ હુમલાના થોડા સમય પહેલા જ રાણા સનાઉલ્લાહે પંજાબ વિધાનસભા પરિસરમાં ઘણો હંગામો કર્યો હતો. હુમલો કોણે કર્યો તેની ઓળખ થઈ શકી નથી.

વિધાનસભાની બહાર જેવો જ જૂતાથી રાણા સનાઉલ્લાહ પર હુમલો થયો, તો તેમના ડ્રાઈવરે થોડા સમય માટે કારને રોકી લીધી હતી પરંતુ સિક્યોરિટી ગાર્ડ્સના કહેવા પર ડ્રાઈવરે કારને આગળ વધારી દીધી હતી. અસલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિઘટનના મામલા પર બવાલ થઈ છે. આ સિલસિલામાં રાણા સનાઉલ્લાહ નેતાઓને મળીને પંજાબ વિધાનસભામાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની PTIની સરકાર છે અને આ સૂબામાં કેન્દ્રની શહબાઝ સરકાર પોતાની સત્તા ઈચ્છે છે.

આ કારણથી બંને વચ્ચે જબરજસ્ત તનાતની છે. આ વિવાદના કારણે પંજાબ સરકારે શહબાઝ શરીફના વિશેષ સહાયક અતાઉલ્લાહ તરાર સહિત તેમની પાર્ટીના ઘણા અન્ય નેતાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાસંદ અને નેતા પંજાબ વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ તેમને બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને અંદર જવા દીધા ન હતા. જેના પછી ત્યાં બબાલ વધી ગઈ હતી. કેટલાંક નેતાઓએ બીજી જગ્યાથી અંદર જવાની કોશિશ કરી પરંતુ પોલીસે તેમને ધક્કામુક્કી કરી રોકી લીધા હતા.

જેના પછી રાણા સનાઉલ્લાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સિક્યોરિટી એજન્સીને પણ કહેવામાં આવ્યું હતું કે તે પીએમએલ-એન પાર્ટીના નેતાઓને વિધાનસભામાં પ્રવેશ કરવા ન દે.જોકે એજન્સીઓએ ઈમરાન ખાનની આ વાત માનવો ઈન્કાર કરી દીધો હતો. રસપ્રદ વાત એ છે કે પંજાબ પ્રાંતમાં PML-N અને PTI ગઠબંધનમાં છે. આ સિવાય પણ પાકિસ્તાન પાસે પૈસાની તંગી પડતા લોકોને ભૂખમરાનો અને વીજળીની સમસ્યાના લીધે વીજળીકાપનો પણ સામનો કરવો પડી રહ્યો છે.  

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.