ઇરાનના સુપ્રીમ લીડરે મિખાઇલ ગોર્બોચેવને પત્ર લખીને કહેલું ઇસ્લામ અપનાવી લો

સોવિયત સંઘ ખતમ થયું તેના બે વર્ષ પહેલાં ઇરાનના તત્કાલીન સુપ્રીમ નેતા અયાતુલ્લાહ રુહોલ્લો ખૌમેનીએ સોવિયત સંઘના છેલ્લાં નેતા મિખાઇલ ગોર્બાચેવને પત્ર લખીને ઇસ્લામ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી. ઇરાનનું એક ડેલિગેશન ખૌમેનીનો સંદેશો લઇને મોસ્કો પહોંચ્યા હતા. આ વાત અત્યારે એટલા માટે યાદ કરી રહ્યા છીએ, કારણકે ગયા મંગળવારે મિખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન થયું હતુ. તેમના અવસાન પર દુનિયાભરના નેતાઓએ શ્રધ્ધાંજલિ આપી હતી.

 Union of Soviet Socialist Republics ( UssR) નેતા મિખાઇલ ગોર્બોચેવને વર્ષ 1989માં ઇરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા ખૌમેનીનો એક ચોંકાવનારો પત્ર મળ્યો હતો.  

ખૌમેનીએ પત્રમાં લખ્યું છે કે તે બધા માટે સ્પષ્ટ છે કે વિશ્વના પોલિટિકલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સામ્યવાદનું સ્થાન છે, કારણ કે માર્ક્સવાદ માનવતાની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરતો નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીએ આ પત્ર મિખાઈલને મોકલ્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે ગોર્બાચેવે USSRની બાગડોર સંભાળી ત્યારથી સોવિયેત યુનિયન પરિવર્તનના સમયગાળામાં છે.

ખૌમેનીએ પત્રમાં લખ્યું છે કે તમારે સત્યનો સામનો કરવો જોઈએ. તમારા દેશની મુખ્ય સમસ્યા સંપત્તિ, અર્થતંત્ર કે સ્વતંત્રતા નથી, પરંતુ ભગવાનમાં વિશ્વાસનો અભાવ છે. આ સમસ્યાએ પશ્ચિમી દેશોને પતન પર લાવીને મુકી દીધા છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાએ પત્રમાં વધુમાં કહ્યું કે સામ્યવાદનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે તે ભૌતિકવાદી પાઠશાળા છે. તે નાસ્તિકતાની આફતમાંથી માણસને બચાવવા સક્ષમ નથી.

પૂર્વ અને પશ્ચિમમાં માનવ સમાજની આ સૌથી મોટી દુર્ઘટના છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીના મતે ઈસ્લામ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. આ પત્ર લખ્યાના પાંચ મહિના પછી ખૌમેનીનું અવસાન થયું.

પત્રમાં ખૌમેનીએ મિખાઈલને ઈસ્લામનો ગંભીરતાથી અભ્યાસ કરવા જણાવ્યું હતું. ખૌમેની લખ્યું, ઈસ્લામના સર્વોચ્ચ મૂલ્યો દ્વારા, વિશ્વના તમામ દેશો માટે મુક્તિનો માર્ગ ખોલવામાં આવશે અને માનવતાની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ મળી જશે.   

જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીએ મિખાઈલને આ પત્ર મોકલ્યો હતો, તે સમયે વિશ્વમાં સોવિયત સંઘ ઝડપથી પતન કરી રહ્યું હતું. ડિસેમ્બર 1991 માં, યુનિયનના છેલ્લા નેતા, મિખાઇલ ગોર્બાચેવે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.