PoKના આ લોકો ભારતમાં ભળવા માટે આતુર છે! પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના સૌથી ઉત્તરીય વિસ્તાર ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સાથે જોડવાની માંગ કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીથી પરેશાન આ વિસ્તારના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નીતિઓથી કંટાળી ગયા છે અને હવે ભારત સાથે ભળી જવા માટે પાકિસ્તાન સરકારનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દાયકાઓ સુધી પાકિસ્તાનની સરકારોએ તેમની સાથે ભેદભાવ કર્યો અને તેમના વિસ્તારનું શોષણ કર્યું.

વિરોધ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન (GB)ના લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે લદ્દાખના કારગિલ જિલ્લામાં સાકરદુ કારગિલ રોડ ફરીથી ખોલવામાં આવે. તેઓ માંગ કરે છે કે લદ્દાખમાં રહેતા તેમના બાલ્ટિસ્તાનના લોકોને તેમની સાથે રહેવાની છૂટ આપવામાં આવે.

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિરોધમાં લોકો માંગ કરી રહ્યા છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા તેમની જમીનો પરનો ગેરકાયદેસર કબજો ખતમ કરવામાં આવે અને તેમના વિસ્તારમાં કુદરતી સંસાધનોનું શોષણ બંધ કરવામાં આવે. તેમની એક માંગણી એ છે કે મોંઘવારીને કારણે તેઓ ઘઉં સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી તેથી સરકારે તેમને સબસિડી આપવી જોઈએ.

પાકિસ્તાની સેના ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગરીબ વિસ્તારોની જમીન અને સંસાધન પર બળજબરીપૂર્વક કબજો કરવાનો દાવો કરી રહી છે. પાકિસ્તાન સરકાર અને GBમાં લોકો વચ્ચે જમીનનો મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે, પરંતુ 2015થી આ વિવાદ વધુ વકર્યો છે. સ્થાનિકોની દલીલ છે કે આ વિસ્તાર PoKમાં હોવાથી જમીન તેમની છે. જ્યારે, વહીવટીતંત્રનું કહેવું છે કે જે જમીન કોઈને આપવામાં આવી નથી, તે પાકિસ્તાન સરકારની છે.

આ પ્રદર્શનો વર્ષ 2022ના અંતમાં શરૂ થયા હતા અને નવા વર્ષમાં પણ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ જમીન હડપ કરવા, ભારે ટેક્સ વસૂલવાને લઈને આ પ્રદર્શનો ચાલુ છે.

પાકિસ્તાન ટૂંક સમયમાં આ વિસ્તારની ઉપરી હુન્ઝા ખીણને ગુપ્ત રીતે ચીનને લીઝ પર આપવા જઈ રહ્યું છે. આ દ્વારા પાકિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં ચીનનું રોકાણ વધારીને ચીનનું દેવું ઘટાડવા માંગે છે. આ વિસ્તાર ખનિજોમાં અત્યંત સમૃદ્ધ છે અને ચીન ત્યાં માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનની આખી વસ્તી અત્યારે બે ટાઈમના ભોજન માટે સંઘર્ષ કરી રહી છે. દેશમાં ઘઉં, કઠોળ, ખાંડ વગેરેની ભારે અછત છે, જેના કારણે તેના ભાવ આસમાને છે. આ સિવાય પાકિસ્તાનની સરકારો આ વિસ્તારના લોકો સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહી છે. ટીકાકારોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઈમરાન ખાનની PTI સત્તામાં છે, તેથી શાહબાઝ શરીફની સરકાર જાણી જોઈને સામાનની સપ્લાયની મંજૂરી નથી આપી રહી.

આ બધા કારણોને લીધે લોકોની હાલત એટલી દયનીય બની ગઈ છે કે, હવે તેઓ એ પાકિસ્તાન છોડીને જવા માગે છે, જેની સાથે તેમણે 1947માં રહીને ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો એટલા ગુસ્સે છે કે, તેઓ કાશ્મીર ઘાટી તરફ જતા કારગિલ રોડને વેપાર માટે ખોલવાની માંગ સાથે મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

પાકિસ્તાન છેલ્લા 75 વર્ષથી વિદેશી મદદ પર નિર્ભર છે. પાકિસ્તાનના મિત્ર દેશો પણ માને છે કે પાકિસ્તાન હંમેશા તેમની પાસેથી આર્થિક મદદ માંગતું રહે છે. વિપક્ષમાં બેઠેલા પૂર્વ PM ઈમરાન ખાને તો PM શહેબાઝ શરીફને ભિખારી કહ્યા છે, અને કહ્યું છે કે તેઓ દરેક જગ્યાએ ભીખ માંગે છે.

ગુરુવારે જ શહબાઝ શરીફ આર્થિક મદદ લેવા સંયુક્ત આરબ અમીરાત ગયા હતા, જ્યાં તેઓ અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન તેણે પાકિસ્તાનને બે અબજ ડોલરની લોન આપવા વિનંતી કરી હતી. તેમણે પૂર રાહતના નામે વધારાના 1 બિલિયન ડૉલરની માંગણી પણ કરી હતી.

જોકે, UAEએ પાકિસ્તાનને વધારાનો એક ડોલર પણ આપવાનો સ્વીકાર કર્યો ન હતો. પાકિસ્તાન પર પહેલાથી જ UAEનું ઘણું દેવું છે, તે દેવું તાત્કાલિક રોલઓવર કરવાની કોઈ વાત નથી. પાકિસ્તાનને જિનીવા કોન્ફરન્સમાં દેશો અને સંગઠનો પાસેથી લગભગ દસ અબજ ડોલરની મદદ મળી છે.

1971માં, પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) પાકિસ્તાનથી અલગ થવાથી ભારે ફટકો પડ્યો અને તે પોતાની જરૂરિયાતો માટે દેવાના બોજ હેઠળ દબાઈ ગયો. પાકિસ્તાને 1972માં અમેરિકા પાસેથી 840 મિલિયન ડૉલર, 1973માં 750 મિલિયન ડૉલર અને 1974માં 100 મિલિયન ડૉલરની લોન લીધી હતી. પાકિસ્તાન અત્યાર સુધીમાં 22 વખત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન લઈ ચૂક્યું છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ભારત સાથે પુનઃ એકીકરણ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સંપૂર્ણ વિકાસનું લક્ષ્ય ગિલગિટ બાલ્ટિસ્તાન પહોંચ્યા પછી જ પ્રાપ્ત થશે, જે POKનો ભાગ છે. અત્યારે અમે ઉત્તર તરફ ચાલવાનું શરૂ કર્યું છે. અમારી આ યાત્રા ત્યારે પૂર્ણ થશે જ્યારે અમે 22 ફેબ્રુઆરી 1994ના રોજ ભારતની સંસદમાં પસાર કરાયેલા ઠરાવનો અમલ કરીશું અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધીના વિસ્તારને ભારતમાં ભેળવીશું.'

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.