અમેરિકામાં વધતા ગોળીબાર પર ટ્રમ્પે કહ્યું- વધતી ગોળીબારીનું કારણ બંદૂકો નથી પણ..

અમેરિકામાં ગન ફાયરિંગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તેના કારણે આખા વર્ષમાં હજારો લોકોએ જીવન ગુમાવવાનો વારો આવે છે અને અમેરિકન સરકાને આ સમસ્યાનો કોઇ મજબૂત હલ નથી દેખાઇ રહ્યો. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે વધતી ગોળીબારીનું કારણ બંદૂકો નથી પણ આધ્યાત્મિક સમસ્યા લાગે છે.

ટ્રંપ ઇન્ડિયાના પોલિસમાં નેશનલ રાઇફલ એસોસિએશનની વાર્ષિક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં તેમણે કહ્યું કે, મોટા પાયા પર ઘાતક ગોળીબારી થવી, બંદૂકોની સમસ્યા નથી પણ આવી સામૂહિક ઘટનાઓ પાછળ માનસિક સ્વાસ્થ્ય, ટ્રાન્સજેન્ડર સમુદાય અને મેરિજુઆનાનો ઉપયોગ વધુ દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એક સામાજિક સમસ્યા છે. આ એક સાંસ્કૃતિક સમસ્યા છે અને એક આધ્યાત્મિક સમસ્યા પણ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઇન્ડિયાનાપોલિસમાં નેશનલ રાઇફલ એસોસિએશન કન્વેન્શનમાં ગન હિંસા પર બોલતા હતા કે, નૈશવિલમાં એક ક્રિશ્ચિયન પ્રાઇમરી સ્કૂલમાં થયેલા હુમલાની ખબરથી અમે ચોંકી ઉઠ્યા છીએ. અમારી સહાનુભૂતી એ બાળકોના પરિવારો સાથે છે, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ, કે તેઓ સલામત રહે. અમે એ કાયદા પ્રવર્તન નાયકોને પણ સલામ કરીએ છીએ, કે જેમણે જોખમ ઉઠાવીને ગુનેગારોને પકડી લીધા, જે ગોળીબાર કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, આ એક ગોટાળો છે અને ત્રાસદી છે કે દર વર્ષે, વોશિંગ્ટનમાં ગોળીબારીની ઘટનાઓ વધતી રહી છે અને ડેમોક્રેટ્સે પોતાના રેડિકલ ગન કંટ્રોલ એજન્ડા હેઠળ સ્કૂલોમાં સુરક્ષા ઉપાયોની મજાક બનાવી દીધી છે. તેનાથી વાસ્તવમાં પાગલ અને હિંસક વ્યક્તિઓના હુમલા નથી રોકાઇ રહ્યા અને ગોળીબારીની ઘટનાઓ પણ ન અટકાવી શકાશે. પૂર્વ રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે, વર્ષ 2000ની આસપાસ ક્યારેય પણ સ્કૂલની ગોળીબારી વિશે વાત નહોતી કરવામાં આવી.

તેમણે કહ્યું કે, આપણો દેશ સદિઓથી બંદૂકોથી ભરેલો છે અને વર્ષ 2000ની આસપાસ સ્કૂલના બાળકોના નરસંહાર જેવી કોઇ ઘટનાઓ સામે નહોતી આવી. આ વાસ્તવમાં ત્યારે શરૂ થયું, કે જ્યારે ડેમોક્રેટ્સની સત્તા હતી, તેમણે કહ્યું કે, હું કહીશ કે, આ બંદૂકોની સમસ્યા નથી. આ એક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. આ એક સોશિયલ પ્રોબ્લેમ છે. આ એક કલ્ચરલ પ્રોબ્લેમ છે. આ એક સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ છે.

ટ્રંપે કહ્યું કે, જો તેઓ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો, હાલના ગન લોને પાછો ખેંચશે અને અમેરિકાની દરેક સ્કૂલના પ્રવેશ દ્વાર પર સુરક્ષા ગાર્ડ તહેનાત કરાવશે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસથી સંપૂર્ણ રીતે અપ્રભાવી કાયદાને નિરસ્ત કરવા માટે કહીશ, જે અમારી સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થાને સુચારૂ નથી કરતા, પણ અપરાધીઓની રાહ સરળ બનાવે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.