UK સ્પાઉસ વિઝા પર લાગી શકે છે બેન, જો આવુ થયુ તો ભારતીયોને લાગશે મોટો ઝટકો

UKની આંતરિક મામલાની મંત્રી સુવેલા બ્રેવરમેને એવુ કહીને ભારતીય ખાસ કરીને પંજાબી મૂળના વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે કે, સ્પાઉસ વિઝા પર પ્રતિબંધ લાગી શકે છે કારણ કે, ઘણા નીચલા સ્તરના એવા લોકો UK આવી રહ્યા છે, જેમની પાસે પ્રતિભા નથી. એટલું જ નહીં, તેમની પાસે કોઈ ટેકનિકલ શિક્ષણ નથી કે જેના કારણે UKમાં ફાયદો થઈ શકે. UK સરકારે જાન્યુઆરી, 2021માં ઓછામાં ઓછાં 25 હજાર 600 પાઉન્ડ પ્રતિવર્ષ આવક નિર્ધારિત કરી દીધી હતી પરંતુ, ભારતીય ખાસ કરીને પંજાબથી એવા લોકો યૂકે પહોંચી ગયા, જે ખેતીવાડી ઉપરાંત હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ઓછાં પગાર પર કામ કરી રહ્યા છે. તેને કારણે ત્યાં સિસ્ટમ લથડી ગઈ છે અને યૂકેમાં રાઇટ ટૂ વર્ક પર અસર પડવા માંડી છે.
ખેતીવાડીથી લઇને ઇન્ડસ્ટ્રીમાં ઓછાં પગાર પર ભારતીય ખાસ કરીને પંજાબી મૂળના લોકો કામ કરવા માંડ્યા છે. યૂકેના મંત્રીનું કહેવુ છે કે, યૂકેમાં છેલ્લાં એક વર્ષમાં 2 લાખ 39 હજાર લોકો આવ્યા છે, જેની અસર ખૂબ જ ખતરનાકરીતે થઈ છે, તેને કારણે યૂકેમાં સિટીઝન પર પ્રભાવ પડવા માંડ્યો છે. યૂકેના મંત્રીનું કહેવુ છે કે, યૂકેમાં હવે ગેરકાયદેસરરીતે રહેવું સરળ નહીં હશે. પહેલા તો એવુ કહીને બચી જતા હતા કે, તેમને મજૂર બનાવીને રાખવામાં આવ્યા છે અને કામ કરાવવામાં આવી રહ્યું છે પરંતુ, હવે કોઈ જ બહાનું ચાલશે નહીં.
UKમાં 2020માં 48 હજાર 639 ભારતીય વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા, જેમા 80 ટકા પંજાબી મૂળના હતા જ્યારે 2021માં 55 હજાર 903 તેમજ 2022 માર્ચ સુધી એક લાખ 7 હજાર 978 લોકો યૂકેમાં પહોંચ્યા, જેમા 80 ટકા પંજાબી હતા. યૂકેએ પંજાબી મૂળના વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલ્યા હતા, જે અનુસાર યૂકેમાં સ્ટડી અનુસાર આવનારા વિદ્યાર્થીને સ્પાઉસ વિઝા પણ આપવામાં આવતા હતા. વિદ્યાર્થી સ્ટડી કરશે અને સ્પાઉસ કામ કરી શકે છે. સ્ટડી બાદ વિદ્યાર્થીને બે વર્ષના વર્ક વિઝા મળતા હતા અને સાથે જ તેના સ્પાઉસને પણ.
યૂકે માટે પંજાબના એજન્ટોએ જબરદસ્ત ગેમ રમી અને નકલી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની કમાણી કરી. એવા વિદ્યાર્થી યૂકેની ધરતી પર પહોંચી ગયા, જેમને અંગ્રેજીનું નોલેજ પણ નહોતું. તેના માટે નકલી દસ્તાવેજોનો સહારો લેવામાં આવ્યો. યૂકે દૂતાવાસ એક દિવસમાં પણ વિઝા આપી દે છે પરંતુ, શરત માત્ર એટલી કે તેની એક લાખ રૂપિયા ફી ચુકવવામાં આવે.
ઘણા એજન્ટોએ એક લાખ રૂપિયા ફી જમા કરાવીને 24 કલાકમાં વિઝા લીધા, આ દરમિયાન દૂતાવાસને દસ્તાવેજને ક્રોસ ચેક કરવાનો યોગ્ય સમય ના મળ્યો પરંતુ, જ્યારે આવા વિદ્યાર્થી તેમજ તેમના સ્પાઉસ યૂકેની ધરતી પર પહોંચ્યા તો ત્યાં સિસ્ટમ ઉથલપાથલ થઈ ગઈ અને મંત્રીએ કહેવુ પડ્યું કે, લો સ્કિલ લોકો યૂકેમાં આવી ગયા છે. આગામી સેમેસ્ટરની સ્ટડી માટે ભારે સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા માટે ફાઇલ તૈયાર કરી રાખી છે પરંતુ, મંત્રીના નિવેદનથી હડકંપ મચી ગઈ છે.
સ્ટડી વિઝા એક્સપર્ટ સુકાંત ત્રિવેદીનું કહેવુ છે કે, નકલી દસ્તાવેજોના કારણે અભણ લોકો પણ યૂકે પહોંચી ગયા છે, આ તો પહેલાથી જ લાગી રહ્યું હતું કે પરિસ્થિતિ અસંતુલિત થઈ જશે.
યૂકેના સ્ટડી વિઝાના એક્સપર્ટ ગુણદીપ સિંહનું કહેવુ છે કે, યૂકેમાં માહોલ ખરાબ થઈ ગયો છે, ત્યાં પણ વિદ્યાર્થી ચિંતામાં છે. છેલ્લાં 24 કલાકમાં સતત યૂકેથી ફોન આવી રહ્યા છે. યૂકેમાં લો સ્કિલ લોકોને પહોંચાડવા ખૂબ જ સંવેદનશીલ છે અને તેની ઉચ્ચસ્તરીય તપાસ પણ થવી જોઈએ કે કયા એજન્ટોએ નકલી દસ્તાવેજોના સહારે અભણ લોકોને યૂકે પહોંચાડી દીધા. તેની અસર બીજા સેમેસ્ટરમાં જનારા વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. છેલ્લાં એક વર્ષમાં 122 ટકા ગ્રોથ આવ્યો હતો, જે હવે નીચે જતો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp