
રશિયા-યુક્રેન યુદ્ધને હવે એક વર્ષ થઈ ગયું છે. આ યુદ્ધ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થાય તેમ લાગતું નથી. દરમિયાન, UNGAમાં ગુરુવારે યુક્રેન સંબંધિત ઠરાવ પર ભારત ગેરહાજર રહ્યું હતું. UN જનરલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા ઠરાવમાં યુક્રેનમાં 'વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ' સુધી પહોંચવાની જરૂરિયાત વિશે વાત કરવામાં આવી હતી.
યુક્રેનના ઠરાવ પર મતદાન કર્યા પછી, ભારત તરફથી સવાલ પૂછવામાં આવ્યો કે, શું રશિયા-યુક્રેન સંઘર્ષના એક વર્ષ પછી પણ વિશ્વને 'સંભવિત ઉકેલ' મળ્યો છે, જે મોસ્કો અને કિવ બંનેને સ્વીકાર્ય છે. 193-સભ્યવાળી UNGAમાં ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેલા 32 દેશોમાં ભારત એક હતું. આ પ્રસ્તાવ યુક્રેન અને તેના સમર્થકો દ્વારા લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 141 દેશો હતા જ્યારે 7 તેની વિરુદ્ધમાં રહ્યા હતા.
ઠરાવને અપનાવવામાં આવ્યા પછી, મતની સમજૂતી આપતા, UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે 'તે જરૂરી છે કે આપણે આપણી જાતને કેટલાક હાલના સંબંધિત પ્રશ્નો પૂછીએ. શું આપણે એવા ઉકેલની નજીક છીએ કે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય? શું કોઈપણ પ્રક્રિયા કે જેમાં બંને પક્ષો સામેલ ન હોય તે ક્યારેય વિશ્વસનીય અને અર્થપૂર્ણ ઉકેલ તરફ દોરી શકે છે?’
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત યુક્રેનની સ્થિતિ અંગે ચિંતિત છે. અમે યુક્રેનમાં વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિને પ્રોત્સાહન આપવાના મહાસચિવના પ્રયાસોને સમર્થનની નોંધ લઈએ છીએ, જ્યારે શાંતિ હાંસલ કરવાના રાજદ્વારી પ્રયાસો માટે સભ્ય દેશો દ્વારા વધેલા સમર્થન પર ભાર મૂક્યો છે. જો કે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ એક જટિલ દૃશ્ય દર્શાવે છે, જેમાં સંઘર્ષ બહુવિધ મોરચે તીવ્ર બનતો જોવા મળે છે.
United Nations General Assembly passes a resolution on the need to reach comprehensive, just and lasting peace in Ukraine.
— ANI (@ANI) February 23, 2023
141 members voted in favour of the resolution while 7 opposed it. 32 members including China and India abstained. pic.twitter.com/zvsVZwlNKQ
આ દરમિયાન ભારતના રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે, લાખો લોકો બેઘર બન્યા છે અને પડોશી દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે નાગરિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના અહેવાલો પણ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત બહુપક્ષીયતા માટે પ્રતિબદ્ધ છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સમર્થન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp