અમેરિકાનું કહેવું છે રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનને માત્ર PM મોદી જ મનાવી શકે છે

PC: khabarchhe.com

13 દિવસ બાદ 24 ફેબ્રુઆરીના રોજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધનું એક વર્ષ પૂર્ણ થઇ જશે. આ મહા વિનાશકારી યુદ્ધમાં હજારો લોકોના જીવ જઇ ચૂક્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા અને અબજોની સંપત્તિનું નુકસાન થઇ ચૂક્યું છે. યુક્રેનના સુંદર શહેરો સ્મશાન ઘાટમાં પરિવર્તિત થઇ ગયા છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાછળ હટવા તૈયાર નથી. યુક્રેન અને રશિયા બચ્ચે યુદ્ધને લઇને હવે અમેરિકાએ નવું નિવેદન આપ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કાર્બીને જ્યારે પૂછવામાં આવ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધ કેવી રીતે રોકી શકાય છે? તો તેમણે કહ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્ય કરી શકે છે. તેઓ વ્લાદિમીર પુતિનને ના પાડી શકે છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કાર્બીએ કહ્યું કે, ‘હું PM (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)ને કહેવા માગીશ કે તેઓ જે પણ પ્રયાસ કરવા તૈયાર છે. સંયુક્ત રાજ્ય અમેરિકા કોઇ પણ પ્રયાસનું સ્વાગત કરશે, જેથી યુક્રેનમાં શત્રુતા સમાપ્ત થઇ શકે છે.

તેઓ એ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકવા કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ખૂબ મોડું થઇ ચૂક્યું છે? જોન કાર્બીએ કહ્યું કે, મને લાગે છે કે યુદ્ધને રોકવા માટે વ્લાદિમીર પુતિન પાસે અત્યારે પણ સમય છે. મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનને ના પાડી શકે છે. હું વડાપ્રધાનને કહીશ કે તેઓ જે પણ પ્રયાસ કરે, અમે સ્વાગત કરીએ છીએ.

વ્હાઇટ હાઉસનું આ નિવેદન ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આ નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે. જોન કાર્બીએ કહ્યું કે, યુક્રેનિ લોકો સાથે જે થઇ રહ્યું છે તેના માટે એકમાત્ર જવાબદાર વ્યક્તિ વ્લાદિમીર પુતિન છે અને તેઓ તેને અત્યારે રોકી શકે છે. તેની જગ્યાએ તેઓ ક્રૂઝ મિસાઇલોથી યુક્રેનમાં ઉર્જા અને વીજળીના પાયાના ઢાંચાને નષ્ટ કરી રહ્યા છે.

રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ઘણી વખત વાત કરી છે. ઉજબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિનને કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો નથી. આપણે આ મુદ્દા પર તમારી સાથે ઘણી વખત ફોન પર વાતચીત કરી કે લોકતંત્ર, કૂટનીતિ અને સંવાદ પર આખી દુનિયાને કાયમ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp