ભારતીય કંપનીની કફ સિરપથી 65 મોત પર ખુલાસો, જરૂરી ટેસ્ટથી બચવા આટલી લાંચ આપેલી

ઉજ્બેકિસ્તાનમાં કથિત રીતે જે ભારતીય કફ સિરપના કારણે 65 બાળકોના મોત થયા હતા, તેને લઈને મોતો ખુલાસો થયો છે. ઉજ્બેકિસ્તાનના સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપ લગાવ્યો કે, ભારતીય કફ સિરપના વિતરકોએ અનિવાર્ય પરીક્ષણથી બચવા માટે સ્થાનિક અધિકારીઓને 33,000 ડૉલર (લગભગ 28 લાખ રૂપિયા)ની લાંચ આપી હતી. મધ્ય એશિયન દેશે ગયા અઠવાડિયે થયેલા મોતોના કેસમાં 21 લોકો પર કેસ ચલાવ્યો, જેમાંથી 20 ઉજ્બેકિસ્તાનના નાગરિક અને એક ભારતીય નાગરિક છે.

પ્રતિવાદીઓમાંથી ત્રણ (એક ભારતીય અને બે ઉજબેકિસ્તાની) નાગરિક કુરામેક્સ મેડિકલના અધિકારી છે. આ એ કંપની છે જે ઉજ્બેકિસ્તાનમાં ભારતના મેરિયન બાયોટેક્ની દવાઓ વેચે છે. રાજ્યના વકીલ સૈદકરીમ અકિલોવ મુજબ, કુરામેક્સના CEO સિંહ રાઘવેન્દ્ર પ્રતારે કથિત રીતે સરકારના અધિકારીઓને 33,000 અમેરિકન ડૉલરની ચૂકવણી કરી જેથી તેઓ તેના ઉત્પાદનોના અનિવાર્ય નિરીક્ષણ ન કરે. જો કે, વકીલના નિવેદનથી એ સ્પષ્ટ નહોતું કે કફ સિરપનું ઉજ્બેકિસ્તાનમાં પરીક્ષણ થયું કે નહીં કે પછી નિર્માતાથી ભારતમાં પરીક્ષણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

પ્રતાર જેમણે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે આરોપોનું ખંડન કર્યું, પરંતુ એ વાતનો સ્વીકાર કર્યો કે, એક વચેટિયાના માધ્યમથી અધિકારીઓને સહયોગ રાશિ પહોંચાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તેમને ખબર નહોતી કે પછી એ પૈસાઓનો ઉપયોગ કેવી રીતે અને કોણે કર્યો. 21 પ્રતિવાદીઓમાંથી 7 કોઈક ને કોઈક કેસમાં દોષી ઠેરવવામાં આવી ચૂક્યા છે, જેમાં કર ચોરી, ખરાબ કે નકલી દવાઓના વેચાણ, કાર્યાલયનો દુરુપયોગ, બેદરકારી, છેતરપિંડી, લાંચખોરી વગેરે સામેલ છે.

અધિકારીઓએ એ ન જણાવ્યું કે, ગયા વર્ષે 45 મોતો કેમ અને કેવી રીતે થઈ હતી. રાજ્યના વકીલોએ બુધવારે કહ્યું કે, કુરામેક્સે સિંગાપુર સ્થિત 2 મધ્યસ્થ કંપનીઓના માધ્યમથી વધેલી કિંમત પર મેરિયન બાયોટેક દવાઓનું આયાત કરવામાં આવ્યું હતું, જેનાથી કર ચોરીના આરોપ લાગ્યા હતા.

ગયા વર્ષે ઉજ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે ભારતમાં બનેલી કફ સિરપ (DOK-1 MAX) આપવાના કારણે તેમના દેશમાં 18 બાળકોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ આ બાબતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તપાસમાં સહયોગ કરવાની વાત કહી. તો ભારત સરકારે ઉજ્બેક સરકારના આરોપોની તપાસ કરાવવાનો નિર્ણય લીધો. ઉજ્બેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, નોઇડાના મેરિયન બાયોટેકમાં બનેલી કફ સિરપ DOK-1 MAX પીવાથી અહી બાળકોના મોત થઈ ગયા. ઉજ્બેકિસ્તાની અધિકારીઓનું કહેવું હતું કે DOK-1 MAXમાં એથિલીન ગ્લાઈકોલ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.