તુર્કીમાં ભૂકંપની આગાહી કરનાર વૈજ્ઞાનિકે હવે ભારત માટે શું કહ્યું?

તુર્કીમાં આવેલા ભૂંકપ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે તુર્કીમાં આવેલા ભૂંકપ પછી ડચ સંશોઘક ફ્રેંક હૂગરબીટ્સનો પણ ઉલ્લેખ થઇ રહ્યો છે. ફ્રેંક હૂગરબીટ્સે તુર્કી અને પડોશી વિસ્તારમાં ભૂંકપની આગાહી કરી હતી.તુર્કીમાં ભૂંકપને કારણે અત્યાર સુધીમાં 30,000 લોકો મોતને ભેટ્યા છે.

હવે ફ્રેંક હૂગરબીટ્સનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં ફ્રેંક દાવો કરી રહ્યા છે કે ભારતીય ઉપખંડમાં મોટો ભૂકંપ આવશે. ફ્રેન્ક હૂગરબીટ્સ એમ પણ કહી રહ્યા છે કે આ ભૂકંપ હિંદ મહાસાગર ક્ષેત્રમાં એટલે કે ભારત-પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનની આસપાસના ઘણા વિસ્તારોમાં આવી શકે છે.

ફ્રેંક હૂગરબીટ્સ સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGEOS) માટે કામ કરે છે. તેઓ ગ્રહોની ગતિના આધારે ધરતીકંપની આગાહી કરે છે. SSGEOS એ એક સંશોધન સંસ્થા છે જે ધરતીકંપની પ્રવૃત્તિનો અંદાજ કાઢવા માટે ગ્રહો જેવા અવકાશી પદાર્થોનું નિરીક્ષણ કરે છે.

ફ્રેંક હૂગરબીટ્સે તુર્કીમાં ધરતીકંપની ભવિષ્યવાણી કરતી વખતે એ પણ કહ્યું હતું કે, તેમણે ભવિષ્યવામી કરતા પહેલું પુરુ રિસર્ચ કર્યું હતું. રિસર્ચમાં ખબર પડી હતી કે તુર્કીમાં ભૂકંપ સબંધિત ગતિવિધીઓ થવાની છે. એટલે એમણે વિચાર્યું કે ઘટના બને તે પહેલા લોકોને ચેતવણી જારી કરવી જરૂરી છે.

સોશિયલ મીડિયા પર ફ્રેંકના દાવા પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે ફ્રેંકનું કહેવું છે કે ભૂકંપ અંગેની આગાહીને સૈદ્ધાંતિક રીતે સાચી માનવામાં આવતી નથી. બીજી તરફ અમેરિકન જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે આજ સુધી કોઈ વૈજ્ઞાનિકે ભૂકંપની આગાહી કરી નથી. વાસ્તવમાં, વૈજ્ઞાનિક આગાહીઓ કરવા માટે વપરાતી પદ્ધતિને લઈને ઘણા વિવાદો છે.

સોશિયલ મીડિયા પર ભૂંકપની તારીખ અને સમય બાબતે પણ ફ્રેંકને સવાલો પુછવામાં આવી રહ્યા છે. એની પર ફ્રેંકે કહ્યુ કે, વૈજ્ઞાનિકો માત્ર વર્ષની અંદર ભૂંકપ આવવાનો અંદાજ લગાવી શકે છે. અમે તારીખ, સમય અને સટીક લોકેશનની જાણકારી આપવા માટે સક્ષમ નથી.

ફ્રેંક હૂગરબીટ્સે કહ્યું કે તેમની સંસ્થાએ ઇતિહાસમાં આવેલા ભીષણ ધરતીકંપ વિશે રિસર્ચ કરેલા છે. તેમની સંસ્થા ગ્રહોની સ્થિતિ જોઇને ધરતીકંપનો અંદાજ લગાવી શકે છે.

ફ્રેંક હૂગરબીટ્સે કહ્યુ કે ઇતિહાસમાં આવેલા ભૂંકપનો અભ્યાસ કરવા માટે અમે એક પેટર્ન શોધતા હોઇએ છીએ. જેને લીધા ભવિષ્યમાં આવનારા ભૂંકપ વિશે અંદાજ લગાવી શકાય.જ્યારે મુખ્ય પ્રવાહના વૈજ્ઞાનિકો ગ્રહોને કારણે ભૂંકપ આવવાની વાતને ખોટી માને છે.

ફ્રેંકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતની સાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ મજબૂત ભૂકંપની આગાહી કરી છે. ફ્રેંક પોતે કહે છે કે એ સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનથી શરૂ થઈને ભૂકંપ હિંદ મહાસાગર સુધી પહોંચશે. ફ્રેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગાહી અંગે હજુ પણ થોડી ભ્રમની સ્થિતિ છે.

ફ્રેંકનું કહવું છે કે, હાલમાં તેની પાસે ટેક્નોલોજીને વિસ્તારવા માટે કોઈ સાધન નથી. ફ્રેંકે કહ્યું કે તેણે તુર્કીના વૈજ્ઞાનિકનો સંપર્ક કર્યો હતો, કેટલાક વૈજ્ઞાનિકોને તેમાં રસ છે, પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકોને તેમાં રસ નહોતો. ફ્રેંકે કહ્યું કે સીરિયાથી થોડો રિસ્પોન્સ મળ્યો હતો. તેણે કહ્યું , જો ભારત સરકાર તેનો સંપર્ક કરશે તો પોતાનું જ્ઞાન આપવા તૈયાર છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.