વિશ્વ આગામી રોગચાળા માટે તૈયાર નથી, રેડ ક્રોસ સંકટની ચેતવણી આપે છે

આખું વિશ્વ આગામી રોગચાળા માટે તૈયાર નથી. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ (IFRC)એ ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં આરોગ્ય સંકટ એ આબોહવા પરિવર્તન-સંબંધિત આફતોની વધતી સંખ્યા જેટલી મુશ્કેલ હોઈ શકે છે. રેડ ક્રોસ દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ ડિઝાસ્ટર રિપોર્ટ 2022માં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળાના ત્રણ વર્ષ પછી પણ વિશ્વભરમાં મજબૂત તૈયારીઓનો ગંભીર અભાવ છે. યુનિયને કહ્યું છે કે, આગામી કટોકટીની તૈયારી માટે વિશ્વાસ, સમાનતા અને સ્થાનિક એક્શન નેટવર્ક બનાવવું મહત્વપૂર્ણ છે.

IFRCના સેક્રેટરી જનરલ જગન ચેપગેને જણાવ્યું હતું કે, આગામી રોગચાળો નજીકમાં જ હોઈ શકે છે. કોવિડ-19થી મળેલા અનુભવ પછી પણ જો તૈયારીઓ ઝડપી નહીં કરવામાં આવે તો મુશ્કેલીઓ થશે. રિપોર્ટ અનુસાર, વિશ્વને ઘણા જોખમો માટે તૈયાર રહેવાની જરૂર છે. આ સદીમાં આબોહવાની આફતો સાથે રોગનો પ્રકોપ વધી શકે છે. કોરોના આમાંથી એક હતો. ખરાબ હવામાનની ઘટનાઓ સતત વધી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોટા જોખમો પહેલાથી જ નબળા લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. તેથી ગરીબોને વધુ નુકસાન થશે, સૌથી વધુ ગરીબો તેની અસર હેઠળ આવી જશે. અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે, દેશો સ્થાનિક આરોગ્ય બજેટને તેમના GDPના 1 ટકા અને વૈશ્વિક આરોગ્યમાં ઓછામાં ઓછા 15 બિલિયન ડૉલર સુધી વધારો કરે.

ભારત એ 10 દેશોમાં સામેલ છે જ્યાં છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ આફતો આવી છે. છેલ્લા બે વર્ષમાં અમેરિકામાં 71, ઈન્ડોનેશિયામાં 62, ભારતમાં 46, ચીનમાં 41, કોંગોમાં 27, પાકિસ્તાનમાં 25, ફિલિપાઈન્સમાં 25, મેક્સિકોમાં 23 અને કોલંબિયામાં 22 હોનારતો આવી છે. આ આંકડા 2020 અને 2021 વર્ષ માટેના છે. આફતમાં અમેરિકામાં 1184, બ્રિટનમાં 2559 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં 1499 અને ભારતમાં 4743 લોકોના મોત થયા છે.

ઉપેક્ષિત રોગોને દૂર કરવાની દિશામાં સારી પ્રગતિ થઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો (NTDs) પરના પ્રગતિ અહેવાલ મુજબ, ડિસેમ્બર 2022 સુધીમાં, વિશ્વના 47 દેશોએ ઓછામાં ઓછા એક NTD નાબૂદ કર્યા છે. 2022 સુધીમાં ઓછામાં ઓછા એક NTD નાબૂદ કરવા માટે આઠ દેશોને પ્રમાણપત્ર દેવામાં આવ્યા છે.

2010ની સરખામણીએ 2021માં NTDથી પીડિત લોકોની સંખ્યામાં પણ 25%નો ઘટાડો થયો છે. 2010માં 2.19 અબજ લોકો આ રોગથી પીડિત હતા, જ્યારે હવે આ સંખ્યા 1.65 અબજ રહી ગઈ છે. જોકે, કોરોના મહામારીને કારણે આ પ્રયાસમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. 2020માં, 79.8 કરોડ લોકોની સારવાર થઈ શકી, જે 2019ની તુલનામાં 34% ઓછી છે. પરંતુ 2021માં તે ફરી વધ્યું અને 88.8 કરોડ લોકોની સારવાર કરવામાં આવી. 2016 અને 2019 વચ્ચે દર વર્ષે એક અબજથી વધુ લોકોની સારવાર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 2030 સુધીમાં NTDને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારતે પણ બે રોગો, તાવ અને કૃમિ રોગને દૂર કરવામાં સફળતા હાંસલ કરી છે.

વાયરસ, ફૂગ, ઝેરીતત્વો, રસાયણો, પરોપજીવી અને બેક્ટેરિયાથી થતા રોગો, જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હડકવા, રક્તપિત્ત વગેરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, એવી 20 બિમારીઓ છે કે જેના બોજને ઘણીવાર અવગણવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.