ભાજપના ધારાસભ્ય જન્મેજય સિંહનું હાર્ટ એટેકથી નિધન

ઉત્તર પ્રદેશમાં દેવરિયાથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહનું ગત રાત્રે હાર્ટ એટેકના કરણે 75 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. અત્યારસુધીમાં મળેલી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે આશરે 12.30 વાગ્યે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમનું નિધન થયું. જન્મેજય સિંહના ગુજરાતી દેવી સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ દીકરા અને ચાર દીકરીઓ છે. તેમણે ચંદ્રશેખર આઝાદ ઈન્ટર કોલેજ, દેવરિયામાંથી હાઈસ્કૂલની ડિગ્રી મેળવી હતી. જન્મેજય સિંહની રાત્રે લખનૌ સ્થિત આવાસ પર તબિયત ખરાબ થતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડૉક્ટરોએ તેમને લોહિયા હોસ્પિટલમાં રેફર કરી દીધા. લોહિયા હોસ્પિટલના પ્રવક્તા અને એમએસ ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, પેસ મેકર લગાવવા દરમિયાન જ તેમનું મોત થઈ ગયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પહેલા સિવિલ હોસ્પિટલમાં તેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જન્મેજય સિંહ બેવાર ધારાસભ્ય રહ્યા છે. 2012થી તેમણે BJPના સભ્ય તરીકે દેવરિયા નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીની 16મી વિધાનસભાના પહેલા કાર્યકાળમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્રમોદ સિંહને 23295 વોટના અંતરથી હરાવ્યા હતા. જન્મેજય સિંહે 2017ના વર્ષમાં પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જે. પી. જયસ્વાલને 46236 વોટોના અંતરથી હરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે BJP ધારાસભ્યના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જન્મેજય સિંહના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને શોક થયો. સિંહના નિધનથી પાર્ટીએ એક સમર્પિત કાર્યકર્તા અને જનતાએ પોતાના સાચા હિતૈષીને ગુમાવ્યા છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે, તેમની આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ જન્મેજય સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપા પ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે, દેવરિયા સીટ પરથી BJP ધારાસભ્ય જન્મેજય સિંહજીનું નિધન અત્યંત દુઃખદ! દિવંગત આત્માને શાંતિ તેમજ શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન.

જન્મેજય સિંહના નિધનના સમાચાર મળતા જ તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. શુક્રવારની સવારથી જ મોટી સંખ્યામાં BJP કાર્યકર્તા અને સમર્થક તેમના આવાસ પર પહોંચી ગયા. લોકો સોશિયલ મીડિયા પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. થોડીવાર પહેલા ધારાસભ્યનો પાર્થિવ દેહ દેવરિયા સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યો. જ્યાં તેમના સમર્થકો અને શુભચિંતકોની ભારે ભીડ છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.