‘જો હું ત્યાં ન હોત, તો 2015માં જ નીતિશ...’, ભરસભામાં આ શું બોલી ગયા PK?

બિહાર બદલાવ રેલીમાં શુક્રવારે રાહ જોઈ રહે લોકો વચ્ચે 3-4 કલાક મોડા પહોંચેલા પ્રશાંત કિશોર (PK)એ પહેલા માફી માગી અને ત્યારબાદ સરકાર વિફરી પડ્યા. એ સમયે સાંજના 6:00 વાગ્યા હતા અને પટનાના ગાંધી મેદાનમાં સારી એવી ભીડ એકઠી થઈ ચૂકી હતી, પરંતુ PK સંતુષ્ટ નહોતા. તેમણે દાવો કર્યો હતો કે, રેલીમાં જન સૂરાજ પાર્ટી (JSUPA)ના 5 લાખ સમર્થક આવી રહ્યા હતા. સરકારે 2 લાખથી વધુ લોકોને આમ-તેમ રોકી લીધા. આ ગરમીમાં તે લોકો ભૂખ્યા-તરસ્યા પરેશાન રહ્યા. હું 4 કલાક સુધી પ્રશાસનને વિનંતી કરતો રહ્યો, પરંતુ લોકોને આવવા દેવામાં ન આવ્યા.

PKએ વધુમાં કહ્યું કે, સરકાર સમર્થકોને મારી પાસે આવતા રોકી શકે છે, પરંતુ મને તેમના ઘરના દરવાજા સુધી જતા નહીં રોકી શકે. હવે 10 દિવસોની અંદર હું બિહાર બદલાવ યાત્રા પર નીકળીશ. એક-એક વ્યક્તિને મળીશ. આ સરકારને ઉખેડી ફેંકવાની છે. આ સંકલ્પ સાથે તેમણે જય બિહારનો ઉદ્વોષ કર્યો તો મેદાન પ્રત્યુત્તથી ગુંજી ઉઠ્યો.

Lord-Hanuman,-Wife-Suvarchala5
thetrendingmania.com

ગાંધી મેદાનમાં સાંજે રેલીનો સંભવતઃ આ પહેલો અવસર હતો. સ્ટેજ સાથે 800 ફૂટ લાંબો રેમ્પ પણ બન્યો હતો. PKએ તેના પર ચાલીને ભાષણ આપવાનું હતું. બિહારમાં થયેલી કોઈપણ રેલીમાં આ પહેલો પ્રયોગ રહ્યો, પરંતુ PKએ જે કંઈ કહ્યું, તે સ્ટેજ પરથી જ. તેમના ચહેરા પર પીડા અને ક્ષોભનો મિશ્રિત ભાવ ઝળકી રહ્યો હતો.

તેમણે કહ્યું કે, પોલીસ-પ્રશાસન દ્વારા રેલીમાં પૂરો અવરોધ લગાવ્યો, જ્યારે મુખ્ય સચિવ-DGP અને DM-SP બધાને અગાઉથી સૂચિત કરી દેવામાં આવ્યા હતા. સરકારે મારી સાથે બીજી વખત છળ કર્યું છે. હું યુવાનો અને વિદ્યાર્થીઓના મુદ્દા પર આ ગાંધી મેદાનમાં અનશન પર હતો. ત્યારે મોડી રાત્રે, નીતિશ કુમારના અધિકારી મને ઉઠાવી લઇ ગયા અને જેલમાં નાખી દીધો. કોર્ટના હસ્તક્ષેપને કારણે હું બહાર આવ્યો છું. જો હું ત્યાં ન હોત, તો 2015માં જ નીતિશ રાજનીતિક સંન્યાસ લઈ લેતા. હવે બહુ થયું. એક કહેવત છે કે લગ્ન કરે છે, એજ શ્રાદ્ધ પણ કરે છે. નીતિશનું રાજનીતિક શ્રાધ માત્ર જસૂપા જ કરાવશે.

Girlfriend-in-Suitcase1
amarujala.com

પોતાના 6 મિનિટના સંબોધનમાં PKએ કહ્યું કે, તેઓ લાંબું નહીં બોલે. આગામી 5 કલાક સુધી જન-સમૂહ વચ્ચે રહેશે અને વાતચીત કરશે. ખાવા-પીવા અને ઘરે પાછા ફરવાની બધી વ્યવસ્થા છે. નીતિશના અધિકારીઓના આ જંગલરાજને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ કરો. ઓફિસરશાહીનો ખાત્મો થઇને રહેશે. સમર્થકો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે, નીતિશને ઉખેડી ફેંકવાના છે. મોદીની ઉશ્કેરણીમાં ન આવતા અને લાલૂનું જંગલ રાજ તો જોઇતું જ નથી! હવે જનતાનું રાજ જોઇએ છે, એટલે બદલાવ જરૂરી છે. ભીડે મોટા અવાજે તેમને આશ્વાસન આપ્યું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.