ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ

IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. 30થી વધુ મેચ રમાઈ છે અને દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ પોતાના ખાસ પ્રદર્શનથી રમતનો માર્ગ જ બદલી નાખ્યો હોય છે. 29મી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે.

ધોનીએ માત્ર 11 બોલમાં 26 રન ફટકાર્યા, જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની તોફાની ઇનિંગ્સને કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ 5 વિકેટથી જીતી લીધી અને ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ હંમેશની જેમ નમ્રતાથી કહ્યું, 'આ એવોર્ડ મને મળ્યો તેનું મને ખુબ આશ્ચર્ય થયું છે, આ એવોર્ડ શિવમ દુબેને મળવો જોઈતો હતો.'

IPL, POTM
hindustantimes.com

આ કંઈ પહેલી વાર નથી, જ્યારે ચાહકોમાં પ્લેયર ઓફ ધ મેચ (POTM) ચર્ચાનો વિષય બન્યો હોય. તો હવે સવાલ એ ઊભો થાય છે કે, આખરે પ્લેયર ઓફ ધ મેચ (POTM) કોણ પસંદ કરે છે? શું આ ફક્ત આંકડાઓનો ખેલ છે કે પછી તેની પાછળ કંઈક બીજું છે?

IPLમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કોમેન્ટ્રી પેનલ દ્વારા કરવામાં આવે છે. દરેક મેચ દરમિયાન કોમેન્ટ્રી કરનારા નિષ્ણાતો આ જવાબદારી નિભાવે છે. આ પેનલ બ્રોડકાસ્ટર દ્વારા બનાવવામાં આવે છે, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અનુભવી વિશ્લેષકોનો સમાવેશ થાય છે.

IPL, POTM
mykhel.com

કોમેન્ટ્રી પેનલ ફક્ત પ્રત્યક્ષદર્શીઓનો અહેવાલ જ આપતું નથી, પરંતુ તેમની પાસે એક સંપૂર્ણ મેચ વિશ્લેષણ ટીમ પણ છે જે આંકડાઓના આધારે દરેક ક્ષણે પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે.

કયો ખેલાડી કયા સમયે આવ્યો? દબાણમાં કોણે સારું પ્રદર્શન કર્યું? કઈ ક્ષણ ગેમ ચેન્જર બની?

તે આ બધી નાની નાની વિગતો તેઓ જાણતા હોય છે. તેથી, જ્યારે મેદાન પર તો ઘણા ખેલાડીઓ ચમકતા હોઈ શકે છે, ત્યારે પેનલ એવા ખેલાડીઓનું મૂલ્યાંકન કરે છે, જેમનો મેચના પરિણામ પર સૌથી વધુ પ્રભાવ પડ્યો હોય છે.

IPL, POTM
reddit.com

આ સિસ્ટમ મોટાભાગે વ્યાવસાયિક અને અનુભવ આધારિત હોવા છતાં, ક્યારેક વિવાદો અથવા મતભેદો ઉભા થાય છે. ઘણી વખત ચાહકોને લાગે છે કે આ એવોર્ડ બીજા કોઈ ખેલાડીને મળવો જોઈતો હતો. રમતગમતની સુંદરતા આ જ છે, ચર્ચા, ભાવના અને ઉત્સાહ.

કેટલીક ટેકનિકલ બાબતોમાં, અમ્પાયરોની સલાહ પણ લેવામાં આવે છે...અથવા તેમનું અવલોકન પણ કરી શકાય છે. જોકે અમ્પાયરો ફક્ત પોતાના મંતવ્યો જ આપી શકે છે, પરંતુ સમગ્ર નિર્ણય પ્રસારણકર્તા પાસે રહે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.