યુક્રેન યુદ્ધ પર ભારતના વલણથી પુતિન મહેરબાન કે કંઇક બીજું? વિઝાના નિયમ..

On

રશિયા ભારત સહિત 6 દેશોના વિઝા નિયમોને સરળ બનાવવા જઇ રહ્યું છે. એક ન્યૂઝ એજન્સીએ ઉપવિદેશ મંત્રી યેવગેની ઇવાનોવના સંદર્ભે સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, અમે અંતર સરકારી ડીલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ, જેમાં ભારત, અંગોલા, વિયતનામ, ઇન્ડોનેશિયા, સીરિયા અને ફિલિપિન્સ સાથે વિઝા વ્યવસ્થાની પારસ્પરિક સરળીકરણ સામેલ છે. તેનાથી પહેલા ઇવાનોવે કહ્યું હતું કે, રશિયા, બહરીન, ઓમાન, સાઉદી આરબ, બહામાસ, બાર્બાડોસ, હૈતી, જામ્બિયા, કુવૈત, મલેશિયા, મેક્સિકો અને ત્રિનિદાદ અને ટોબેગો સહિત 11 દેશો સાથે વિઝા મુક્ત યાત્રા ડીલ પર કામ કરી રહ્યું છે.

તો રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે વૈશ્વિક એજન્ડાવાળા પ્રમુખ વિષયો પર ભારતના અત્યંત જવાબદાર અને મહાશક્તિ જેવા વલણના વખાણ કર્યા હતા. તેમણે ભારત સાથે પોતાના દેશના સંબંધોને વિશેષ રણનીતિ ભાગીદારી કરાર આપ્યો. તેમણે કહ્યું કે, તે ભારતની સ્વતંત્રતાથી લઇને આજ સુધી સંબંધોના વિશેષ ચરિત્રને પ્રદર્શિત કરે છે. લાવરોવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20ના અધ્યક્ષના રૂપમાં સંતુલિત અને જવાબદાર સ્થિતિની રજૂઆત કરી. રશિયા-યુક્રેન સંઘર્ષ અને આ મુદ્દા પર ભારતના સતર્કતાપૂર્ણ કૂટનૈતિક વલણ વચ્ચે આ નિવેદન આવ્યા.

ભારતની રશિયા સાથે કાચા તેલની આયાત ફેબ્રુઆરીમાં વધારીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિદિન થઇ ગઇ છે, જે તેના પરંપરાગત પુરવઠાકર્તાઓ ઇરાક અને સાઉદી અરબના સંયુક્ત તેલ આયાતથી પણ વધારે છે. તેલના આયાત-નિકાસ પર નજર રાખનારી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું કે, ભારત જેટલી માત્રામાં તેલ આયાત કરે છે, તેનો એક તૃતીયાંશ કરતા વધુ પુરવઠો માત્ર રશિયાએ કર્યો. મોસ્કો સતત પાંચમાં મહિને ભારતના કાચા તેલનો એકમાત્ર સૌથી મોટો પુરવઠો બન્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થવાથી પહેલા સુધી ભારતના તેલ આયાતમાં રશિયાની જવાબદારી એક ટકાથી પણ ઓછી રહેતી હતી. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં તે 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિદિન થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો તરફથી રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. રશિયા તેને પહોંચીવળવા માટે આ સમયે ભારતને રેકોર્ડ માત્રામાં કાચા તેલનું વેચાણ કરી રહ્યું છે. આ પ્રકારે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલા રશિયા માટે ભારત એક મોટા મદદગાર તરીકે ઊભું થયું છે. જો કે, રશિયા પ્રત્યે ભારતના આ વલણની દેશની રાજનૈતિક પાર્ટીઓ તરફથી નિંદા પણ થઇ છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે શનિવારે કહ્યું હતું કે, ભારત યુક્રેન યુદ્ધમાં રશિયા વિરુદ્ધ શત્રુતાપૂર્ણ વલણ અપનાવવા માગતુ નથી. તે તેના વલણમાં વ્યાવહારિક રાજનીતિ સામેલ છે, પરંતુ ભારત રશિયાએ એ બતાવી શકે છે કે તેનું શું વિચારવું છે.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.