ચીની વૈજ્ઞાનિકોએ નવો કોરોના વાયરસ શોધ્યો, જાણો આ કેટલો ખતરનાક છે

કોરોના વાયરસના પ્રકોપથી દુનિયા અત્યારે પણ પૂરી રીતે બહાર આવી શકી નથી કે ચીનથી વધુ એક પરેશાન કરનારા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ચીની વિષાણું વૈજ્ઞાનિકોની એક ટીમે ચામાચીડિયામાં જોવા મળતો એક નવો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે. મીડિયામાં આવેલા એક સમાચાર મુજબ, ખતરનાક વાત એ છે કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. આ સ્ટડીનું નેતૃત્વ વિવાદાસ્પદ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એટલે કે WIVના ચીની વિષાણું વૈજ્ઞાનિક શી ઝેંગલી દ્વારા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે WIV થી જ કોવિડ-19  દુનિયાભરમાં ફેલાયો હતો.

HKU5 કોરોના વાયરસનું નવું રૂપ છે

ચામાચીડિયાથી ઉત્પન્ન થનારા વાયરસ પર પોતાના સંશોધન માટે "બેટ વુમન" નામથી ઓળખાતા શી અને ચીની સરકાર પણ એ વાતથી ઇનકાર કરે છે કે વાયરસ WIVમાંથી ફેલાવાનો શરૂ થયો હતો. સૌથી નવો વાયરસ 'HKU5' કોરોના વાયરસનો એક નવું રૂપ છે, જે પહેલી વખત હોંગકોંગમાં જાપાની પિપિસ્ટ્રેલ ચામાચીડિયામાં ઓળખાયો હતો. હોંગકોંગમાં સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, આ નવો વાયરસ મેરબેકોવાયરસ પેટાપ્રકારમાંથી આવ્યો છે, જેમાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS)નું કારણ બનનારો વાયરસ પણ સામેલ થાય છે.

સમાચાર અનુસાર, મંગળવારે 'સેલ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં, શીની અધ્યક્ષતાવાળી વિષાણું વૈજ્ઞાનિકોની ટીમે લખ્યું કે, 'અમે HKU5-COV ના એક અલગ વંશાવલી (વંશ 2)ની ઓળખ કરી છે, જે ન માત્ર ચામાચીડિયા અને મનુષ્યોમાં, પરંતુ સમાન મૂળના એક જ આનુવંશિક ગુણોવાળા વિભિન્ન સ્તનધારી પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે ચામાચીડિયાના નમૂનાઓમાંથી વાયરસને અલગ કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે તે માનવ કોશિકાઓ સાથે-સાથે કૃત્રિમ રીતે વિકસિત કોશિકાઓને કે પેશીઓના નાના-નાના ગ્રુપોને પણ સંક્રમિત કરી શકે છે, જે નાના શ્વસન કે આંતરડાના અંગો જેવા દેખાતા હતા.

Related Posts

Top News

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO...
Tech & Auto 
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થવાનો છે, અને આવી સ્થિતિમાં દેશ અને દુનિયાભરમાં ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં...
World 
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
National 
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

સલમાન ખાને રામ મંદિરની ડિઝાઇનવાળી ઘડિયાળ પહેરી તો મૌલાના રિઝવી ગરમ

બોલિવૂડનો 'ભાઈજાન' જે પણ કરે છે, તે હેડલાઇન્સ બની જાય છે. સલમાન ખાને શ્રી રામ મંદિરની તસવીરવાળી...
National 
સલમાન ખાને રામ મંદિરની ડિઝાઇનવાળી ઘડિયાળ પહેરી તો મૌલાના રિઝવી ગરમ

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.