ફવાદ ચૌધરીએ પ્રિયંકાના બેગની પ્રશંસા કરી,કહ્યું, અમારામાં આવી હિંમત નથી

On

ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલી શક્તિશાળી અને અસરકારક છે કે પાકિસ્તાન પણ તેના વખાણ કરવાનું બંધ કરી શક્યું નથી. પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી છે. તેમણે પેલેસ્ટાઈન લખેલી બેગની જોરદાર પ્રશંસા કરી, જેને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સંસદમાં લઈ ગયા હતા. હકીકતમાં પ્રિયંકા ગાંધી સોમવારે એક ખાસ બેગ લઈને સંસદ પહોંચ્યા હતા, જેમાં પેલેસ્ટાઈન લખેલું હતું. તેના આ પગલાની પાકિસ્તાનમાં ઘણી પ્રશંસા થઈ રહી છે.

ફવાદ ચૌધરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીની પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? ટૂંકા મનના માણસો વચ્ચે પ્રિયંકા ગાંધી એકલા માથું ઊંચું કરીને ઉભા છે, એ શરમજનક વાત છે કે, આજ સુધી પાકિસ્તાની સંસદના કોઈ સભ્યે આવી હિંમત દાખવી નથી.'

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવવા આ બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેઓ ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને નરસંહાર ગણાવી હતી. બેગમાં 'પેલેસ્ટાઈન' શબ્દ અને પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા જેમ કે તરબૂચ, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે થાય છે.

હકીકતમાં પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન અને ગાઝાના પીડિતો માટે સતત અવાજ ઉઠાવી રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ વીતી ગયા પછી પણ પ્રિયંકા ગાંધીએ ઇઝરાયેલ પર નિશાન સાધ્યું હતું. ગાઝામાં વધી રહેલા મૃત્યુઆંક વચ્ચે પ્રિયંકાએ ઈઝરાયેલને આડે હાથ લીધું હતું. ગાઝા પર દરેક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે, 7,000 લોકોની હત્યા પછી પણ હિંસાની પ્રક્રિયા અટકી નથી. તેમાંથી 3,000 માસૂમ બાળકો હતા. વાયનાડમાં ચૂંટણી લડતી વખતે પણ પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઈનનો મુદ્દો સતત ઉઠાવ્યો હતો.

જો કે, BJPએ આ પેલેસ્ટાઈન બેગને લઈને પ્રિયંકા ગાંધી વાડ્રાને નિશાન બનાવ્યા અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી. BJP નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણનો જોળો પકડીને ચાલતું આવ્યું છે. અહીં આપને જણાવી દઈએ કે, તાજેતરમાં નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ આબેદ અલરાજેગ અબુ જઝારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી અને વાયનાડ ચૂંટણીમાં તેમની જીત પર તેમને અભિનંદન આપ્યા હતા.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati