રાજકોટમાં 6 દિવસથી પોઝિટિવ કેસ શૂન્ય

રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી.

આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63,706 થયો છે. જે સામે કુલ 63,203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેરમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવમાં 16,545 લોકોએ વેક્સીન લીધી હતી.ગઈકાલે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે શહેરમાં યોજાયેલી કોરોના વેક્સીનેશન ડ્રાઇવમાં પ્રથમ ડોઝમાં 412, બીજા ડોઝમાં 9964 અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝમાં 5778 લોકોએ વેક્સીન લીધી હતી. આમ ત્રણેય ડોઝમાં કુલ 16,154 લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી.

આ કામગીરી શહેરના 22 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવી હતી.1.44 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી. રાજકોટ શહેરમાં મનપા દ્વારા આજે ખાસ વેક્સીનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં કોરોનાથી બચવા માટેની વેક્સીન વધુમાં વધુ લોકો લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 વર્ષથી વધુ વયના 1.44 લાખ લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો 62,367ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો બાકી છે, જે માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.રાજકોટ શહેરમાં 60 વર્ષથી વધુ વયના 37,115, ફ્રન્ટલાઈન વોરીયર્સ 16,712 અને 8,540 હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે પ્રિકોશન ડોઝ આપવાનો બાકી છે.

પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરીઆજ રોજ સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધીમાં 50,000ને વેક્સીન લગાવવી તેવો ટાર્ગેટ છે. હાલ સેકન્ડ ડોઝ અને પ્રીકોશન ડોઝ સહીત 2,06,367ને વેક્સીન લેવાની બાકી છે. જે માટે હાલ મનપા કમિશ્નરના આદેશથી 150 કર્મીઓએ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના વેક્સીનમાં બાકી રહી ગયેલા લોકોને આજે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.