છઠ્ઠુ ભણેલા મિકેનિકે ભંગારનો ઉપયોગ કરીને 70 હજારમાં બનાવી E-Bike, 60km...

On

આ મિકેનિકે 70 હજાર રૂપિયાનો ખર્ચ કરીને એક E-Bike તૈયાર કરી લીધી છે. આ E-Bike 15-20 રૂપિયામાં ફૂલ ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ એ બાઇક ફૂલ ચાર્જ થવા પર 60-70 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ અનોખુ કારનામું કરનાર વ્યક્તિનું નામ છે તાહિર મિયાં. તે બરેલીમાં SV ઇન્ટર કૉલેજ પાસે જોશી ઓટો કર્મા એક મિકેનિકના રૂપમાં કામ કરે છે. તાહિર માત્ર છઠ્ઠા ધોરણ સુધી ભણ્યો છે, પરંતુ તેની પાસે ઓટો મિકેનિકના ક્ષેત્રમાં કામ કરવાનો 23 વર્ષનો અનુભવ છે.

પોતાના આ અનુભવના દમ પર તેણે હવે ભંગાર થઈ ચૂકેલી એક બાઇકને E-Bikeમાં બદલી દીધી છે. તાહિરે લગભગ એક મહિનામાં આ E-Bikeને તૈયાર કરી છે. તેણે બાઈકના ચેસિસ નંબર બદલ્યા વિના, તેની બેટરી અને એન્જિનના પાર્ટ હટાવી દીધા. ત્યારબાદ તેણે તેમાં મોડિફિકેશન કરીને ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી. તેને લોડ ઓછું કરવા માટે આ ભંગાર બાઇકના પૈડાં પણ બદલી દીધા. બાઇક તૈયાર થયા બાદ લગભગ એક અઠવાડિયાથી તે રસ્તા પર દોડી રહી છે અને કોઈ પણ પ્રકારની પરેશાની નથી.

એક રિપોર્ટ મુજબ તાહિરનું કહેવું છે કે તેણે ઇ-રિક્ષાવાળી 5 બેટરી લગાવી છે. તેના પર લગભગ 16,500 રૂપિયા ખર્ચ થયા. આ બેટરીઓની એક વર્ષની ગેરન્ટી છે. આ આખી બાઇકને તૈયાર કરવામાં તેને 70 હજાર રૂપિયા લાગ્યા છે. તેને બાઇકને સુંદર બનાવવામાં કોઈ કસર છોડી નથી. તેનું કહેવું છે કે, તે આગળ પણ એવી બાઇક બનાવશે અને તેને અપગ્રેડ કરશે, જેથી તેના સુરક્ષા માનાંકોને હજુ સારા કરી શકાય. તેની સાથે જ તે આ બાઇકને તૈયાર કરવામાં આવનાર ખર્ચને પણ ઓછો કરશે.

જોશી ઓટો કેરના માલિક દેવેન્દ્ર જોશીનું કહેવું છે કે તાહિર મિયાં હંમેશાં કંઈક ને કંઈક પ્રયોગ કરતો રહે છે. આ જ કારણ છે કે તેનું મગજ નવા પ્રયોગ કરીને E-Bike તૈયાર કરી શક્યું. આ બાઇકને ઘર પર જ ખૂબ સરળતાથી ચાર્જ કરી શકાય છે. એ લગભગ બે થી અઢી કલાકમાં ફૂલ ચાર્જ થાય છે. તે ફૂલ ચાર્જ થવામાં લગભગ 15-20 રૂપિયાની વીજળી ખર્ચ થાય છે. એક વખત ચાર્જ કર્યા બાદ તે સરળતાથી 60-70 કિલોમીટર સુધી જાય છે. તાહિરે જણાવ્યું કે, આ E-Bikeની 50-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સૌથી સારી છે.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati