ધરતીથી દૂર જઈ રહ્યો છે ચંદ્ર! વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

On

આપણા જીવનમાં ચંદ્ર કેટલો મહત્ત્વપૂર્ણ છે, તે આપણે સૌ જાણીએ છીએ. તેણે કવિઓ, લેખકો, વિચારકોને પ્રેરણા પૂરી પાડી છે. વિજ્ઞાનના મામલામાં પણ ચંદ્રની ધરતી પર ગાઢ અસર પડે છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ચંદ્ર સાથે સંકળાયેલા એક અજીબ સમાચાર વિશે વાત કરી સૌને ચોંકાવી દીધા છે. સમાચાર છે કે, બાળકોના પ્રિય ચાંદા મામા હવે આપણાથી દૂર જઈ રહ્યા છે.

ઓડી વેબસાઈટના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ચંદ્રમા દર વર્ષે ધરતીથી થોડો દૂર થતો જઈ રહ્યો છે. જોકે, આ શિફ્ટ ઘણો ધીમો છે. રિપોર્ટ અનુસાર, ચંદ્રમા પ્રત્યેક વર્ષ આશરે 3.8 સેન્ટીમીટર ધરતીથી દૂર થતો જઈ રહ્યો છે. લાંબા સમયથી વૈજ્ઞાનિક ચંદ્રમા પર દુનિયા વસાવવા અંગે વાતો કરતા આવ્યા છે. ઘણા દેશોએ ચંદ્રમાના હિસ્સા પર દાવો કરવાની વાત પણ કહી દીધી છે પરંતુ, હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે કે ચંદ્રમા દર વર્ષે આપણાથી થોડો દૂર જઈ રહ્યો છે, તો કદાચ ત્યાં જવાની વાત સપના જેવી થઈ જશે કારણ કે, આગળ જતા જો તે એટલો દૂર ચાલ્યો ગયો કે ત્યાંથી ધરતી પર જ પાછા ના આવી શકાયું તો લોકોની મુશ્કેલીઓ વધી જશે.

નાસાના જણાવ્યા અનુસાર, ચંદ્રમાના દૂર જવાની આ પ્રક્રિયા નવી નથી. ચંદ્ર ચાર ખરબ વર્ષ જૂનો છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી વૈજ્ઞાનિકોએ એ અનુમાન લગાવ્યું છે કે, તે ધરતીથી દૂર જઈ રહ્યો છે. તેની જાણકારી વર્ષ 1969થી લગાવવામાં આવી હતી જ્યારે એપોલો મિશન દરમિયાન રિફ્લેક્ટિવ પેનલ ચંદ્ર પર લગાવવામાં આવી હતી. એ જ પેનલો દ્વારા વૈજ્ઞાનિકોએ ચંદ્ર અને ધરતીના અંતર અંગે જાણકારી મેળવી હતી.

જ્યારે પણ ધરતીના ઓર્બિટમાં થોડું પણ પરિવર્તન આવે છે, ધરતી સુધી આવનારા સૂર્યના પ્રકાશ પર પણ તેની અસર પડે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ ધરતીના ઓર્બિટમાં તફાવત, સૂર્ય અને ચંદ્રના અંતર અંગે જાણકારી મેળવી તો તેમણે અંદાજો લગાવ્યો કે આશરે 2 ખરબ વર્ષ પહેલા ચંદ્રમા, ધરતીથી 60 હજાર કિલોમીટર નજીક હતો. પરંતુ, સમયની સાથે તે દૂર જતો ગયો. આવુ એ જ કારણે થયુ કારણ કે, ધરતીના ઓર્બિટમાં પરિવર્તન થયુ. એટલે કે પહેલા ધરતી પર 17 કલાકનો દિવસ રહેતો હશે. નાસાના જણાવ્યા અનુસાર, ધરતી અને ચંદ્રનું હાલ અંતર છે 384400 કિલોમીટર છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati