PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

On

(પ્રોફેસર કિરણ પંડ્યા)

હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી ન લેવો જોઈએ. આ ચેટબોટ્સ કોઈ પણ રીતે નિષ્પક્ષ (ઓબ્જેક્ટિવ) જવાબ આપતા નથી. તેમનો જવાબ અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે –  

- પૂછાયેલા પ્રશ્નનો પ્રકાર,  
- તેમના અલ્ગોરિધમ,  
- ઈન્ટરનેટ પર ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ માહિતી.  

જ્યારે મેં ભારતના વડાપ્રધાનના નેતૃત્વ વિશે એક ચેટબોટને પ્રશ્ન પૂછ્યો, તો જે જવાબ મળ્યો તે આ પ્રમાણે હતો:  
"નરેન્દ્ર મોદી, જે 2014 થી ભારતના વડા પ્રધાન છે, એક આધુનિક નેતા છે. તેમની મુખ્ય તાકાત ચૂંટણીમાં સતત સફળતા પ્રાપ્ત કરવું છે—2014, 2019 અને 2024 માં સતત ત્રણ વાર વિજય મેળવવો—અને તેમના કેટલાક મોટા નીતિગત પગલાં, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (GST) લાગુ કરવો, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવો અને વિશ્વની મહાસત્તાઓ સાથે સંતુલન સાધતી વધુ આક્રમક વિદેશ નીતિ અપનાવવી. 2024 માં ઈન્ડિયા ટુડેના Mood of the Nation સર્વે અનુસાર, 51% લોકો તેમને પ્રિય નેતા માને છે, જે તેમની લોકપ્રિયતા સતત રહી છે તે દર્શાવે છે. તેમનો કેન્દ્રિકૃત નિર્ણય લેવાની સ્ટાઇલ અને ગઠબંધનની રાજનીતિ છતાં સુધારાઓ અમલમાં મૂકવાની તેમની ક્ષમતા તેમને એક અલગ પ્રકારનો પાવર આપે છે, જે પ્રજાના જનાધાર અને આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ સાથે જોડાયેલી છે."  

surat
indianexpress.com

આ ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે ચેટબોટનો જવાબ જે તે સમયે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટા પર આધાર રાખે છે, કોઈ નિષ્પક્ષ અને નિશ્ચિત સત્ય પર નહીં. તેથી, હું ChatGPT, Grok, અથવા Perplexity AI જેવી ટેક્નોલોજીની ઉપયોગિતા અંગે શંકાસ્પદ છું, ખાસ કરીને જ્યારે વાત સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક વિષયોની સાચી અને નિષ્પક્ષ માહિતી મેળવવાની હોય.  

(સુરતની સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ કિરણ પંડ્યાના ફેસબુક પોસ્ટ પરથી સાભાર. ડો. પંડ્યા દેશના જાણીતા અર્થશાસ્ત્રી છે અને ડેટા વિષયના નિષ્ણાત માનવામાં આવે છે. આ લેખ તેમના અંગ્રેજી ફેસબુક પોસ્ટનો ગુજરાતી ભાવાનુવાદ છે.)

Related Posts

Top News

પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરમાં થીજી ગયેલા સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃત શરીરના ભાગો મળી આવ્યાના સમાચારે હંગામો મચાવી દીધો...
National 
પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

એમેઝોનના કર્મચારીઓ માટે ફરી એક વખત છટણીના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોન વર્ષ 2025ની...
Business 
આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ કુમારભાઈ કાનાણી એક એવા નેતા છે જેમણે પોતાની સાદગી...
Gujarat  Opinion 
ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા...
National  Politics 
કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.