ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' તરીકે જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે આ દિવસથી, તેઓ બધા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે અને આનાથી અમેરિકાને વેપાર ખાધમાંથી મુક્તિ મળશે. પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર તે દેશો સાથેના વેપાર પર તે જ કર લાદશે જેવો અન્ય દેશોએ અમેરિકન ઉત્પાદનો પર લાદ્યો છે. આ અંગે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે ભારતીય બજાર 350 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું અને અમેરિકા સહિત અન્ય ઘણા દેશોના શેરબજારો પર પણ તેની અસર પડી. ભારતના ઉદ્યોગો પણ ટ્રમ્પના નિર્ણયોથી ચિંતિત છે, પરંતુ અમેરિકાના ઉદ્યોગપતિઓ પણ એટલા જ ચિંતિત છે. તેમને લાગે છે કે જો કાચા માલની આયાત મોંઘી થશે તો તેમનો ઉત્પાદન ખર્ચ વધશે અને તેમણે કિંમતો વધારવી પડશે. આનાથી સમગ્ર બજાર પ્રભાવિત થશે.

Donald Trump
economictimes.indiatimes.com

નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે અમેરિકા પણ આ ટેરિફ નિર્ણયને મુલતવી રાખી શકે છે. ભારત પણ એવા દેશોમાંનો એક છે જેની સાથે અમેરિકા વેપાર કરાર કરવાનું વિચારી રહ્યું છે.

અમેરિકા કહે છે કે, તે જે દેશો સાથે વેપાર ખાધનો સામનો કરી રહ્યો છે તેમના પર તે જ કર લાદશે જેવો તેમણે તેના ઉત્પાદનો પર લાદ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, અમેરિકા ઓછા કરવેરા લાદે છે, જ્યારે ચીન અને કેનેડા જેવા દેશોએ વધુ કરવેરા લાદ્યા છે. તેમનું કહેવું છે કે, આના કારણે અમેરિકાને એક ટ્રિલિયન US ડોલરની વેપાર ખાધનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી અમેરિકન ઉદ્યોગો અને કર્મચારીઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે.

Donald Trump
dainikstatesamachar.com

ચીન, કેનેડા, મેક્સિકો અને યુરોપ જેવા ઘણા દેશો અમેરિકાની યોજનાથી અસ્વસ્થ છે. પરંતુ ભારત માટે તે બહુ ચિંતાનો વિષય નથી. નિષ્ણાતો માને છે કે, ભારત સાથેના વેપારમાં ફક્ત અમેરિકા જ સરપ્લસમાં છે, તેથી તેના દ્વારા લાદવામાં આવેલા કરની કોઈ ખાસ અસર થશે નહીં. 2021-22 થી 2023-24 દરમિયાન અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહેશે. ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18 ટકા છે, જ્યારે આયાત 6.22 ટકા છે. દ્વિપક્ષીય વેપાર 10.73 ટકા રહ્યો. માલની આયાત અને નિકાસની દ્રષ્ટિએ, અમેરિકા 35.32 બિલિયન ડૉલરના સરપ્લસમાં છે. આ 2023-24નો આંકડો છે, જે 2022માં 27.7 બિલિયન ડૉલર હતો.

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, જો અમેરિકા ટેરિફ લાદે છે તો ભારત પર તેનો કેટલો ખર્ચ થશે. આ ઉપરાંત, એ પણ સ્પષ્ટ નથી કે, આ ટેરિફ ઉત્પાદન સ્તરે હશે, ક્ષેત્ર સ્તરે હશે કે, દેશ સ્તરે. અમેરિકન ટેરિફ અંગે, GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવ કહે છે કે, ભારત અમેરિકન ઉત્પાદનો પર જે ટેક્સ લાદે છે તે દાવાઓ કરતા ઘણો ઓછો છે. જો અમેરિકા યોગ્ય વ્યાપાર નીતિ અપનાવે તો ભારતમાંથી નિકાસ ચાલુ રહેશે. આમાં સહેજ પણ અવરોધ નહીં આવે. પરંતુ આપણે અમેરિકા અને ભારત વચ્ચે કયો વેપાર કરાર થશે તેના પર પણ નજર રાખવી પડશે.

Donald Trump
livehindustan.com

હવે એક પ્રશ્ન એ પણ છે કે, જો અમેરિકા તમામ ભારતીય ઉત્પાદનો પર એકસમાન ધોરણે ટેરિફ લાદે તો શું થશે? ભારતમાં આયાત થતા અમેરિકન ઉત્પાદનો પર 7.7 ટકા ટેરિફ લાદવામાં આવે છે, જ્યારે અમેરિકા ભારતમાંથી નિકાસ થતા માલ પર ફક્ત 2.8 ટકા ટેરિફ લાદે છે. આ રીતે, જો અમેરિકા પણ ટેક્સમાં વધારો કરે તો તે 4.9 ટકા વધી શકે છે અને અંતર દૂર થશે. જો કે ઉત્પાદનો અનુસાર અલગ અલગ કર લાદવામાં આવે તો પણ ભારતને અસર તો થશે, પરંતુ તેનું પ્રમાણ ખૂબ વધારે નહીં હોય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.