રામાનંદ સાગરની રામાયણને બનાવવા આટલા કરોડ લાગેલા, કમાણીનો આંકડો કરી દેશે હેરાન

On

રામાયણ’ પર ઘણી ધરવાહિકો બની, ટી.વી. પર પ્રસારિત પણ થઈ, પરંતુ જે લોકપ્રિયતા વર્ષ 1987માં રામાનંદ સાગરની ‘રામાયણ’ને મળી તે કોઈ બીજાને ન મળી શકી. લોકોને રામાનંદ સાગરની ‘રામાયણ’ એટલી પસંદ આવી હતી કે તેઓ તેને જોવા માટે પોતાનું આખું કામ છોડી દેતા હતા. લોકો આ સીરિયલમાં ‘ભગવાન રામ’ની ભૂમિકા ભજવતા ‘અરુણ ગોવિલ’ અને માતા સીતાની ભૂમિકા ભજવતી ‘દીપિકા ચિખલિયા’ને જ અસલી રામ અને સીતાની જોડી માનવા લાગ્યા હતા.

આજે પણ જો ક્યાંક અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા નજરે પડી જાય તો તેમને પગે પડવા લાગે છે. ‘રામાયણ’ની આ લોકપ્રિયતાએ મેકર્સને લાખપતિ બનાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવે છે કે રામયણના એક એપિસોડને શૂટ કરવા માટે રામાનંદ સાગર 9 લાખ રૂપિયા ખર્ચ કરી દેતા હતા. જો કે, ‘રામાયણ’ના એક એપિસોડ પર એટલા પૈસા લાગ્યા છતા તેઓ માલામાલ થઈ જતા હતા. એક એપિસોડથી મેકર્સ 40 લાખ રૂપિયાની કમાણી કરી લેતા હતા. એટલે કે 7 કરોડમાં બનેલા 78 એપિસોડથી કુલ 31.4 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

રામાનંદ સાગરની ‘રામાયણ’ને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 55 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. એ સમયે આ શોની વ્યૂઅરશિપ 650 મિલિયન હતી. રામાનંદ સાગરની ‘રામાયણ’નો આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રસપ્રદ વાત એ છે કે, રામાનંદ સાગરની ‘રામાયણ’ માત્ર વર્ષ 1987માં જ નહીં, આજે પણ પોપ્યુલર છે. કોરોનાના સમયે લાગેલા લોકડાઉનના સમયે જ્યારે ‘રામાયણ’ને ફરી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારે આ શૉના એપિસોડને 7.7 કરોડ લોકોએ જોઈ હતી, જેની સાથે આ સીરિયલ ફરી એક વખત સૌથી વધુ જોવાનારો શો બની ગયો હતો.

ગુરુવારે ઠેર-ઠેર રામનવમીનો જુલૂસ કાઢવામાં આવ્યો હતો. દરેક શુભેછા પાઠવી રહ્યું હતું. આ ખાસ અવસર પર રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ ફેન્સને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. દીપિકાએ 35 વર્ષ જૂના ‘રામાયણ’ લૂકને રીક્રિએટ કર્યો હતો, જેને જોઈને ફેન્સની ખુશીનું ઠેકાણું રહ્યું નહોતું. દીપિકા ચિખલિયાએ ભગવા સાડે પહેરીને એક વીડિયો શેર કર્યો હતો.

Related Posts

Top News

ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5...
Gujarat 
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ...
Science 
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ ભારત સરકારે 'લુક ઇસ્ટ'ની નીતિ રજૂ કરી...
National 
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ચૈત્રી નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માટે સમર્પિત છે. વર્ષ 2025માં...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati