હોળી-ધૂળેટીમાં 12 માર્ચ સુધી ગુજરાત એસ.ટી. વિભાગ 550 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે સુરતમાં વસતા દાહોદ પંચમહાલના વતની નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં માદરે વતન જવા માટે તા.10 થી 12 માર્ચ દરમિયાન ત્રણ દિવસ માટે સાંજે 04.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા 550 એકસ્ટ્રા બસો દોડાવાશે. એકસ્ટ્રા બસોથી 30 હજાર જેટલા નાગરિકો વતન પહોચી શકશે.

આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને એસ ટી આપના દ્વારે અંતર્ગત તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. એકસ્ટ્રા ઉપડનાર બસોનુ ગૃપબુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન-સુરત તેમજ અડાજણ બસપોર્ટ સ્થિત સિટી ડેપો ખાતેથી થઈ શકશે. ઉપરાંત, એકસ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ-ઉધના-કામરેજ-કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.ના અધિકૃત બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ, તથા વેબસાઇટ www.gsrtc.in થી પણ ઓનલાઇન બુકિંગ કરી શકાશે GSRTC-સુરતના વિભાગીય નિયામક શ્રી પી.વી.ગુર્જરે જણાવ્યું હતું.

st bus
Khabarchhe.com

દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ જવા માટે એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ રામનગરથી ઉપડશે. આ સમગ્ર સંચાલનમાં નિગમને વધારાની 1 કરોડ આવક થશે. ગત વર્ષે એસ.ટી.ને હોળી એક્સ્ટ્રા બસોની 470 જેટલી ટ્રીપો થકી 80 લાખની આવક થઇ હતી અને 27000 મુસાફરોને વતન પહોચાડ્યા હતા એમ પી.વી.ગુર્જરે જણાવ્યું હતું.

Related Posts

Top News

ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

આપણાં બધાને ટ્રેનની મુસાફરી ખૂબ ગમે છે અને તેની સાથે ઘણી યાદો જોડાયેલી હોય છે, પરંતુ આજે અમે તમને...
National 
ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો 'ગેજ ટેસ્ટ' શું છે?

મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી....
Sports 
હવે નારાયણ-નોર્ખિયાના બેટ ટેસ્ટમાં નિષ્ફળ, અમ્પાયરો જે તપાસ કરે છે તે IPLનો 'ગેજ ટેસ્ટ' શું છે?

PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાતમાં ભાજપની સફળતાનો પાયો ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વે નાખ્યો છે. PM મોદીની વિકાસલક્ષી...
Opinion 
PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાત સરકારના કર્મચારીઓને મજા પડી ગઈ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક...
Governance 
ગુજરાત સરકારના કર્મચારીઓને મજા પડી ગઈ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.