સાંસદ મનસુખ વસાવાને પણ અધિકારીઓ ગાંઠતા નથી તો સામાન્ય લોકોનું શું થાય?

On

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે જેને કારણે ચર્ચા શરૂ થઇ છે. સાંસદ મનસુખ વસાવાએ તેમના ફેબબુક વોલ પર લખ્યું છે કે, ડેડિયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલવાડી રસ્તાનું ધોવાણ થવાને કારણે પ્રજાને અવરજવરમાં મુશ્કલી પડી રહી છે. અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે. સાથે પાણીની પાઇપ લાઇન પણ તુટી ગઇ છે, સંબંધિત અધિકારી અને જિલ્લા પંચાયતના અધિકારી જ્લદીથી પહોંચીને સમસ્યાનું નિવારણ કરે.

સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ ગણાતા સાંસદના એક ફોનથી કામ પતી જાય તો મનસુખ વસાવાએ પોસ્ટથી જાણકારી કેમ આપવી પડી? શું અધિકારીઓ તેમનું સાંભળતા નથી? આમ પણ વસાવા પોતાની જ સરકારના અધિકારીઓ સામે અનેક વખત નિવેદનો આપી ચૂક્યા છે.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati