સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

On

(ઉત્કર્ષ પટેલ)

જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે છે, અને આ કર્મો જ આપણું ભાગ્ય નક્કી કરે છે. એક જૂની કહેવત છે: ’આપણાં કર્મો સારાં હશે તો કોઈ આપણું કંઈ બગાડી શકશે નહીં, એટલું જ નહીં, કાળ પણ આપણી રક્ષા કરશે.’ આ વાક્ય એક સરળ પણ ઊંડા સત્યને છત્તું કરે છે. સારાં કર્મોની તાકાત એટલી મજબૂત હોય છે કે તે માત્ર આપણને બાહ્ય સંકટોથી જ નહીં પરંતુ સમયના કઠોર ફટકાઓથી પણ બચાવે છે!

કર્મનો અર્થ અને તેની શક્તિ

કર્મ એટલે ફક્ત કામ કરવું નહીં પરંતુ દાનત, વિચાર અને લાગણી સાથે કરેલું કાર્ય. જ્યારે આપણે બીજાને મદદ કરીએ પ્રેમ અને સત્યના માર્ગે ચાલીએ ત્યારે આપણે આજનું જીવન ઉપરાંત ભવિષ્ય માટે એક મજબૂત પાયો / આધાર બનાવીએ છીએ. સારાં કર્મો એક સુરક્ષાકવચની જેમ કામ કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિષ્ઠા અને દયા સાથે જીવે છે તો તકલીફના સમયમાં પણ તેને એક અંતરની શાંતિ અને શક્તિ મળે છે જે તેને જીવનમાં ડગમગતો અટકાવે છે.

આ વાતને સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. એક ખેડૂત જે નિષ્ઠાથી પોતાના ખેતરમાં બીજ વાવે છે તેને વિશ્વાસ હોય છે કે પ્રકૃતિ તેની મહેનતનું ફળ આપશે. તેવી જ રીતે જીવનમાં સારાં કર્મોનાં બીજ વાવવાથી આપણને નિશ્ચિતપણે સુખ, સમૃદ્ધિ અને રક્ષણ મળે છે. આ બીજ કદાચ તરત જ ફળ ન આપે પરંતુ સમય આવે ત્યારે તે આપણા જીવનને ઉન્નત બનાવે છે.

02

કાળની ભૂમિકા અને સારાં કર્મો

આ કહેવતમાં ‘કાળ’ શબ્દનો ઉપયોગ છે જે સમય અને નિયતિનું પ્રતીક છે. કાળને ઘણીવાર નિર્દય અને અનિશ્ચિત માનવામાં આવે છે પરંતુ જે વ્યક્તિ સારાં કર્મો કરે છે તેના માટે કાળ પણ રક્ષક બની જાય છે. આનો અર્થ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે પણ એ પણ છે કે સારાં કર્મોની શક્તિ આપણને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે.

ઇતિહાસમાં આવાં ઘણાં ઉદાહરણો છે. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાના માર્ગને અપનાવ્યો. તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેમનાં સારાં કર્મો અને નિષ્ઠાએ તેમને માત્ર બચાવ્યા જ નહીં પરંતુ લાખો લોકો માટે પ્રેરણા બનાવ્યા. આ દર્શાવે છે કે સારાં કર્મોનું ફળ માત્ર વ્યક્તિગત નથી હોતું તે સમાજને પણ ઉજાગર કરે છે. ખરૂ ને?

04

જીવનમાં સારાં કર્મોનું મહત્વ

આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં ઘણીવાર લોકો ટૂંકા રસ્તા અપનાવે છે. પરંતુ સાચું સુખ અને શાંતિ તો સારાં કર્મોમાં જ છે જ્યારે આપણે કોઈને મદદ કરીએ, કોઈનું દુ:ખ હળવું કરીએ ત્યારે આપણને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. આ આનંદ એટલો શક્તિશાળી હોય છે કે તે આપણને બાહ્ય દુશ્મનોથી બચાવે છે અને આંતરિક નકારાત્મકતાને પણ દૂર કરે છે.

જો આપણે નાનીનાની બાબતોમાં સારાં કર્મોની શરૂઆત કરીએ જેમ કે ઘરમાં સૌ સાથે પ્રેમથી વર્તવું, કામના સ્થળે નિષ્ઠા રાખવી અથવા અજાણ્યાને નાની મદદ કરવી તો આપણું જીવન ધીમે-ધીમે સકારાત્મક વિચારોથી ભરાઈ જશે. આ સકારાત્મકતા આપણને એવી શક્તિ આપે છે કે કોઈપણ પરિસ્થિતિમાં આપણે હાર નથી માનતા.

કર્મની શક્તિ પર વિશ્વાસ

આ કહેવતનો બીજો મહત્વનો સંદેશ એ છે કે સારાં કર્મો પર વિશ્વાસ રાખવો જોઈએ. ઘણીવાર એવું લાગે છે કે દુનિયામાં ન્યાય નથી કે ખરાબ લોકો સફળ થાય છે અને સારા લોકો દુ:ખી રહે છે. પરંતુ સમયની ગતિ એટલી ન્યાયી હોય છે કે તે દરેકને તેનાં કર્મોનું ફળ આપે છે. જે વ્યક્તિ સારાં કર્મો કરે છે તેની રક્ષા માટે અદૃશ્ય શક્તિઓ પણ કામે લાગે છે.

આ વાતને એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ. એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો જે હંમેશાં બીજાને મદદ કરતો. એક દિવસ ભયંકર તોફાન આવ્યું અને ગામનાં ઘણાં ઘરો ધરાશાયી થયાં પરંતુ આ માણસનું નાનું ઘર સુરક્ષિત રહ્યું. ગામના લોકો આશ્ચર્ય પામ્યા પણ તે માણસે કહ્યું, ‘મેં હંમેશાં સારું કરવાનો પ્રયત્ન કર્યો, બાકી બધું ઉપરવાળાની કૃપા છે.’ આ વાર્તા દર્શાવે છે કે સારાં કર્મો આપણને એવી શક્તિ આપે છે, જે આપણી કલ્પનાથી પણ વિશેષ હોય છે.

01

અગત્યનું...

જીવન એક અનંત યાત્રા છે અને આ યાત્રામાં સારાં કર્મો આપણા સાચા સાથી છે. જો આપણે નિષ્ઠા, પ્રેમ અને દયા સાથે જીવીએ તો કોઈપણ શક્તિ ભલેને તે માનવ હોય કે કાળ આપણું નુકસાન નહીં કરી શકે. આજથી જ નાનાં-નાનાં સારાં કર્મોની શરૂઆત કરો કારણ કે આ જ કર્મો તમારું રક્ષણ કરશે અને તમને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. 

ચાલો તો પછી,

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે’ આ સત્યને અપનાવો અને જીવનને પ્રેરણાથી ભરી દો.

(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)

Related Posts

Top News

...તો શું હવે બદલાઈ જશે અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીનું નામ

રાજ્યસભાના સભ્ય અશોક કુમાર મિત્તલે સોમવારે રાજ્યસભામાં અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના નામ બદલવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે,...
National  Politics 
...તો શું હવે બદલાઈ જશે અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીનું નામ

હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ

આપણું ગુજરાત એક એવું રાજ્ય જેની ઓળખ આપણે અનેક રીતે વર્ણવીએ છીએ. મહાત્મા ગાંધીની અહિંસાનું પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની નિર્ભીકતા,...
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ

આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'લાડલી બહેન યોજના'એ રાજ્યના બજેટને હચમચાવી નાખ્યું છે. મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય...
National 
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું

IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો...
Sports 
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.