...તો શું હવે બદલાઈ જશે અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીનું નામ

On

રાજ્યસભાના સભ્ય અશોક કુમાર મિત્તલે સોમવારે રાજ્યસભામાં અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના નામ બદલવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે શહેરનું નામ પ્રયાગરાજ થઈ ગયું છે, તો આ સંસ્થાઓના નામ પણ બદલવા જોઈએ. તેમણે બ્રિટિશ કાળમાં રાખવામાં આવેલા સંસ્થાઓ અને ભવાનોના નામ બદલવાની પણ માગ કરી હતી. સરકારે આ દિશામાં ઘણાં પગલાં લીધાં છે. તેમણે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવા, ભારતીય દંડ સંહિતાનું નામ બદલીને ભારતીય ન્યાય સંહિતા કરવા જેવા ઉદાહરણો આપ્યા. પરંતુ શું આટલું પૂરતું છે? બોમ્બે હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ અને કોલકાતા હાઈકોર્ટ જેવી ઘણી હાઈકોર્ટના નામ હજુ પણ બ્રિટિશ કાળના છે.

દિલ્હીમાં એવા રસ્તાઓ અને હોસ્પિટલો છે જેના નામ બ્રિટિશ કાળના છે. મિત્તલે કહ્યું કે, તેમને પ્રયાગરાજમાં મહાકુંભની પવિત્ર યાત્રા કરવાનો અવસર મળ્યો. શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ત્યાંની હાઈકોર્ટ હજુ પણ અલ્લાહબાદ હાઈકોર્ટ, યુનિવર્સિટીને અલ્લાહાબાદ યુનિવર્સિટી અને લોકસભા મતવિસ્તારને અલ્લાહાબાદ નામથી ઓળખવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારોને બ્રિટિશ કાળની નામ વાળી ઇમારતો અને સંસ્થાઓના નામ બદલવા માટે પણ પત્ર લખશે. તેમણે એવી સંસ્થાઓની ઓળખ કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરવાનું પણ સૂચન કર્યું, જેના નામ અત્યારે પણ બ્રિટિશ કાળના છે.

ગૃહમાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય અશોક કુમાર મિત્તલે કહ્યું કે ભારતે 200 વર્ષથી અંગ્રેજોના અત્યાચારો જોયા છે. આઝાદીના 70 વર્ષ પછી પણ આજે પણ અનેક હાઈકોર્ટ, રસ્તા, હોસ્પિટલ, યુનિવર્સિટી અને અન્ય ઐતિહાસિક ઈમારતોના નામ અંગ્રેજોના નામ પર છે.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.