CM કેજરીવાલની ધરપકડ પર અન્નાએ કહ્યું- તેમના કર્મોને કારણે...

On

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મને દુખ થાય છે કે  કેજરીવાલે મારી વાત ન માની અને તેઓ હવે આમાં અરેસ્ટ થઈ ગયા. જ્યારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નવા-નવા અમારી સાથે આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે, હંમેશાં દેશની ભલાઈ માટે કામ કરવું, પરંતુ તેમણે આ વાત ધ્યાનમાં ન રાખી. હું હવે તેમને કોઈ સલાહ નહીં આપું. કાયદો અને સરકારને જે કરવું હશે તે કરશે.

તેમણે કહ્યું કે, હું એ વાતથી વધુ પરેશાન છું કે અરવિંદ કેજરીવાલ જેઓ મારી સાથે કામ કરતા હતા ત્યારે શરાબ સામે અવાજ ઉઠાવતા હતા, તેઓ હવે શરાબ નીતિઓ બનાવી રહ્યા છે. તેમની ધરપકડ તેમના પોતાના કર્મોને કારણે થઈ છે.

કેજરીવાલને રાજીનામું આપવું પડ્યું તો કોણ સંભાળશે CMની ખુરશી, આ 3 નામ ચર્ચામાં

2024ની લોકસભાની ચૂંટણીના થોડા દિવસ અગાઉ ગુરુવાર (21 માર્ચ)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડે દિલ્હીના રાજકારણમાં તોફાન લાવી દીધું છે. દિલ્હીના આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં 2 કલાકની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે, જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો આગામી મુખ્યમંત્રી કોણ હશે? આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓનું તો એ જ કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જેલમાં રહીને સરકાર ચલાવશે.

તેના પર જેલ પ્રશાસન અને કાયદાના જાણકારોનું કહેવું છે કે, કાયદાકીય રૂપે તેમાં કોઈ પરેશાની નથી, પરંતુ પ્રેક્ટિકલી એવું મુશ્કેલ છે કેમ કે મુખ્યમંત્રી હોવાના સંબંધે ફાઇલ સાઇન કરાવવા રોજ જેલમાં આવશે. એવામાં જેલ પ્રશાસન મુખ્યમંત્રી અને જેલની સિક્યોરિટી કંપ્રોમાઇઝ કરવા નહીં માગે. હવે સવાલ એ છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો તમારી પાસે વિકલ્પ શું છે? એવામાં પાર્ટી સામે પડકાર યોગ્ય નેતા સામે લાવવાનો છે, જે અરવિંદ કેજરીવાલની ગેરાહાજરીમાં દિલ્હી સરકારની જવાબદારી સંભાળી શકે. બીજી તરફ ચૂંટણી માથે છે તો પાર્ટીની કમાન સંભાળવા માટે પણ યોગ્ય નેતાની જરૂરિયાત હશે.

કોણ હોય શકે છે દિલ્હીના આગામી મુખ્યમંત્રી:

અરવિંદ કેજરીવાલના રાજીનામું આપવાની સુરતમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેને લઈને 3 નામોની સૌથી વધુ ચર્ચા છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ ચર્ચમાં છે. સુનિતા કેજરીવાલ IRS અધિકારી રહી ચૂક્યા છે. બીજી તરફ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના કારણે સૌથી મજબૂત દાવેદાર આતિશી અને સૌરભ ભારદ્વાજ માનવામાં આવી રહ્યા છે. આતિશી દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણાં, મહેસૂલ, PWD સહિત ઘણા વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે તો સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી મંત્રી મંડળના મુખ્ય સભ્ય છે. તેમની પાસે શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય સહિત ઘણી જવાબદારીઓ છે.

કોણ સંભાળશે AAPની કમાન?

આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 'મેં ભી કેજરીવાલ' નામથી હસ્તાક્ષર કેમ્પેઇન ચલાવ્યું હતું અને લોકોને સવાલ કરવામાં આવ્યો કે શું કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. તેના જવાબમાં 90 ટકા લોકોએ કહ્યું કે, કેજરીવાલ પાસે દિલ્હીનો જનાદેશ છે અને તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેઓ જેલમાં રહે કે ગમે ત્યાં, મુખ્યમંત્રી તેઓ જ રહેશે. તેને લઈને દિલ્હી સરકારે સર્વે પણ કરાવ્યો અને તેમ પણ લોકોના મંતવ્ય હતા કે અરવિંદ કેજરીવાલને જ દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર રહેવું જોઈએ. તો પાર્ટીના સંયોજક તરીકે આતિશી, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન અને સુનિતા કેજરીવાલના નામની ચર્ચા છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati