ભાજપના આ મંત્રીએ કહ્યું- PM મોદી અને ડૉ. મનમોહન સિંહની સરખામણી કરવી શક્ય નથી

On

કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સરકારમાં કામ કરવાના પોતાના અનુભવો ન્યૂઝ ચેનલ આજ-તક સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે PM મોદી અને ડો. મનમોહન સિંહની સરખામણી કરવી મુશ્કેલ છે. બનેંની કામ કરવાની રીતમાં જમીન આસમાનનું અંતર છે.

એક શોમાં હાજર રહેલાં કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મોદી સરકાર એક રિઝલ્ટ ઓરીએંટેડ સરકાર છે. આ સરકારમાં નિર્ણય ખુબ ઝડપથી લેવામાં આવે છે. મારા અનુભવ પરથી એટલું કહી શકુ કે આ સરકાર પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે અને તેના માટે આખી એક સીસ્ટમ કામ કરે છે.

 સિંધિયાએ કહ્યું કે એક રાજનેતા અને પ્રજા સેવક પહેલાં હુ ખાનગી ક્ષેત્રમાં બેંકર તરીકે કામ કરી ચૂક્યો છુ. એવામાં મારું એ સૌભાગ્ય કહેવાય કે મને આવી રિઝલ્ટ ઓરિએંટેડ અને પ્રોડક્ટિવિટિ ડ્રિવન સરકારમાં કામ કરવાની તક મળી. આ મારા માટે એક સોનેરી અવસર છે.

સિંધિયાએ આ ખાનગીકરણને બધાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આને કારણે એર ઇન્ડિયાનું તો ભલું થશે જ, પરંતુ પ્રજાને પણ એક સારો વિક્લપ મળશે. સાથે એવિએશન સેકટરમાં તેની નવી ભૂમિકા પણ નક્કી થશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે 30-40 વર્ષ પહેલાં માત્ર થોડા લોકો જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા, પરંતુ આજે ઉડાન યોજના હેઠળ સામાન્ય માણસ પણ હવાઇ યાત્રા કરી શકે છે. દેશમાં એરપોર્ટ નેટવર્ક નાંખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બિહારના દરભંગા જેવા શહેરમાં પણ એરપોર્ટ બન્યું અને લોકો અહીંથી મુસાફરી કરી શકે છે. સિંધિયાએ કહ્યુ કે પ્રાદેશિક કનેકિટવિટીથી દેશનો વિકાસ થશે.

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ હવાઇ યાત્રાના  આંકડા આપતા કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે 14 કરોડ લોકો મુસાફરી કરે છે. જેમાં દર વર્ષે 10 ટકા જેટલો વધારો થાય છે. રેલવેમાં વર્ષે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કલાસમાં 18 કરોડ લોકો મુસાફરી કરે છે.. સિંધિયાએ કહ્યુ હતું કે આગામી દિવસોમાં લોકો રેલવે કરતા ફલાઇટમાં વધુ યાત્રા કરતા થશે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati