AAPનો દાવો- 'BJPએ સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલેલા સારું થયું...',

On

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ હુમલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને BJPનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર CM આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, સારું થયું તેઓ ત્યાં ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

AAP નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વાતિ માલીવાલની સાથે BJP પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારથી CM અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી BJP ગભરાઈ ગઈ છે. આ મૂંઝવણ હેઠળ તેમણે એક કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરા અંતર્ગત સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલવામાં આવ્યા હતા.

તેમનો હેતુ CM કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ ષડયંત્રનો એક ચહેરો હતી, સ્વાતિ માલીવાલ 13 મેના રોજ CM આવાસ પર પહોંચી હતી, તેમનો ઈરાદો આરોપ લગાવવાનો હતો. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

13 મેની આખી ઘટના મીડિયાને સંભળાવતા આતિશીએ કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે, તેને નિર્દયતાથી મારવામાં આવી હતી. તેઓનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમનું માથું ફાટી ગયું, તેમના કપડા ફાટી ગયા, પરંતુ વિડિયોમાં તદ્દન ઊલટું સત્ય છે. સ્વાતિ માલીવાલ ઊંચા અવાજમાં વિભવ કુમારને ધમકી આપી રહી છે. તેના કપડા ફાટેલા નથી કે તેના માથામાં ઈજા થઈ નથી. આજના વીડિયોએ સ્વાતિ માલીવાલના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેની તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati