- National
- તુલસીના છોડમાં 'ગુપ્તાંગના વાળ' નાંખ્યા, કોર્ટે કહ્યું- 'હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી, કાર્યવાહી કેમ નહ...
તુલસીના છોડમાં 'ગુપ્તાંગના વાળ' નાંખ્યા, કોર્ટે કહ્યું- 'હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી, કાર્યવાહી કેમ નહીં'

કેરળ હાઈકોર્ટે રાજ્ય પોલીસને તુલસીના છોડ (તુલસીક્યારા)નું અપમાન કરનાર આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. અબ્દુલ હકીમ નામના એક વ્યક્તિ પર 'પોતાના ગુપ્તાંગમાંથી વાળ ખેંચીને તુલસીક્યારામાં નાખવાનો' આરોપ છે. કોર્ટે કહ્યું કે તુલસીક્યારા હિન્દુ ધર્મ માટે એક પવિત્ર સ્થાન છે અને આરોપીઓએ જે કર્યું તેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચશે.

જસ્ટિસ PV કુન્હીકૃષ્ણનની બેન્ચે અલપ્પુઝાની રહેવાસી 32 વર્ષીય શ્રીરાજ RAની અરજી પર વિચારણા કરતી વખતે પોલીસને આ સૂચનાઓ આપી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ શ્રીરાજની એક વીડિયો અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અબ્દુલ હકીમ કથિત રીતે તુલસીક્યારાનું અપમાન કરી રહ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે પ્રશ્ન કર્યો કે આરોપી અબ્દુલ હકીમ સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં અને તેની સામે કોઈ કેસ કેમ નોંધવામાં આવ્યો નહીં. બેન્ચે કહ્યું, 'હિન્દુ ધર્મ અનુસાર તુલસીક્યારા એક પવિત્ર સ્થાન છે. વીડિયોમાં, અબ્દુલ હકીમ પોતાના ગુપ્તાંગમાંથી વાળ કાપીને તુલસીક્યારામાં નાખતો જોઈ શકાય છે. આ ચોક્કસપણે હિન્દુ ધર્મની ભાવનાઓનું ઉલ્લંઘન હશે. એવું લાગે છે કે અબ્દુલ હકીમ સામે કોઈ કેસ નોંધાયેલ નથી.'
અહેવાલ મુજબ, આ ઘટના અંગે અબ્દુલ હકીમના પક્ષે શ્રીરાજ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, અબ્દુલ હકીમ માનસિક રીતે બીમાર વ્યક્તિ છે અને અરજદારે 'ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા' માટે આ વીડિયો અપલોડ કર્યો છે. આ કેસ BNSની કલમ 192 (હુલ્લડો કરવાના ઈરાદાથી બિનજરૂરી ઉશ્કેરણી) હેઠળ નોંધવામાં આવ્યો હતો. જેને પાછળથી BNSની કલમ 196(1)(a) (ધર્મના વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને કેરળ પોલીસ અધિનિયમની કલમ 120(o) (જાહેર ઉપદ્રવ અને જાહેર વ્યવસ્થાના ભંગ માટે સજા)માં રૂપાંતરિત કરવામાં આવ્યું.

ત્યાર પછી અરજદારે જામીન અરજી દાખલ કરી. શ્રીરાજે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, તેમણે ફક્ત એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર પહેલાથી જ ઉપલબ્ધ છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે અબ્દુલ હકીમ સામે કોઈ કેસ નોંધાયેલ નથી.
રિપોર્ટ અનુસાર, અબ્દુલ હકીમ ગુરુવાયુરમાં એક હોટલનો માલિક છે અને તેની પાસે તેનું લાઇસન્સ પણ છે. બેન્ચે એ પણ જણાવ્યું કે અબ્દુલ હકીમ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ છે. આ આધારે બેન્ચે કહ્યું કે, અબ્દુલ હકીમ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું, 'પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અબ્દુલ હકીમ કોઈ માનસિક બીમારીથી પીડિત છે.'

કોર્ટે આરોપી વ્યક્તિની માનસિક સ્થિતિની તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે, જો તે માનસિક રીતે બીમાર છે તો તે હોટલ કેવી રીતે ચલાવી રહ્યો છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે છે. ન્યાયાધીશ કુન્હીકૃષ્ણને કહ્યું, 'મારું માનવું છે કે પોલીસે કાયદા અનુસાર અબ્દુલ હકીમ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. હકીકતો પરથી એ સ્પષ્ટ નથી કે તે માનસિક રીતે બીમાર છે કે નહીં. જો તે માનસિક રીતે બીમાર હોય, તો પણ તે ગુરુવાયુર મંદિરના પરિસરમાં આવેલી હોટલનો લાઇસન્સધારક કેવી રીતે છે તે તપાસ અધિકારી દ્વારા તપાસનો વિષય છે. અરજદારના વકીલે કહ્યું કે, તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે. જો તે માનસિક રીતે બીમાર છે, તો તેને વાહન ચલાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે પણ તપાસ અધિકારી દ્વારા તપાસનો વિષય છે.'
આ આધારે કોર્ટે અરજદારની જામીન અરજી સ્વીકારી લીધી.
Top News
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Opinion
45.jpg)