લોન ભરાઇ ગઇ હોય અને દસ્તાવેજો પાછા ન મળે તો, ગ્રાહકોને રોજ આટલા રૂપિયા મળશે

On

જો તમે લોનનું પુરુ પેમેન્ટ કે રી-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે અને તમે જમા કરાવેલા દસ્તાવેજો તમને પરત મળતા નથી તો તમને રોજના 5,000 રૂપિયા વળતર પેટે મળશે. આ દસ્તાવેજોમાં ચલ અને અચલ સંપત્તિના બધા મૂળના દસ્તાવેજો સામેલ છે. આ વળતર તમને એ સંસ્થા આપશે જેની પાસેથી તમે લોન લીધી હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વિશે 13 સપ્ટેમ્બરે સંબંધિત સૂચના જારી કરી દીધી છે. આ સૂચના રેગ્યુલેટેડ ઇન્ટીટીઝ (RE) જેમાં બધી બેંકો, નોન બેકિંગ ફાયનાન્સ કંપની, બધી કો.ઓઓપરેટીવ બેંકોને આપવામાં આવી છે.

લોન સંપૂણપણે પુરી થઇ ગયા પછી 30 દિવસની અંદર લોન લેનારને દસ્તાવેજો પરત કરવા હવે ફરજિયાત બની ગયું છે. 1 ડિસેમ્બર 2023થી આ નિયમ લાગૂ પડશે. દેશની સેન્ટ્રલ બેંકે ગ્રાહકોની સુરક્ષા અને માનસિક પરેશાનની ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.

RBI એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, 2003 થી વિવિધ નિયમનકારી સંસ્થાઓ (REs) ને જારી કરાયેલ વાજબી પ્રેક્ટિસ કોડ પરની માર્ગદર્શિકા મુજબ, REs એ સંપૂર્ણ ચુકવણી પ્રાપ્ત કરવી અને લોન એકાઉન્ટ્સ જાળવવા જરૂરી છે. બંધ કરતી વખતે તમામ જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો મૂકત કરવા ફરજિયાત છે. જો કે, એવું જોવામાં આવ્યું છે કે REs આવા જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો બહાર પાડવા માટે વિવિધ પ્રથાઓનું પાલન કરે છે, જેનાથી ગ્રાહકની ફરિયાદો અને વિવાદો થાય છે.

Cnbctv18 18ના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, અસરકારક તારીખે અથવા તે પછી જારી કરાયેલા લોન મંજૂરી પત્રોમાં મૂળ મિલકત દસ્તાવેજો પરત કરવાની સમયમર્યાદા અને સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. ઉપરાંત એકમાત્ર ઉધાર લેનાર અથવા સંયુક્ત ઋણ લેનારાઓના મૃત્યુની કમનસીબ ઘટનાના કિસ્સામાં, RE એ કાનૂની વારસદારોને મૂળ મિલકતના દસ્તાવેજો પરત કરવા માટે એક સુનિયોજિત પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આ પ્રક્રિયાને અન્ય ગ્રાહક-સંબંધિત નીતિઓ અને પ્રક્રિયાઓ સાથે REs ની વેબસાઇટ્સ પર સુલભ બનાવવી જોઈએ.

RBIના નવા નિયમ મુજબ જો તમારી લોન પુરી થયાના 30 દિવસની અંદર તમને તમામ દસ્તાવેજો પાછા ન મળે તો એ પછી લોન આપનારી સંસ્થાએ ગ્રાહકોને રોજના 5,000 રૂપિયા વળતર આપવું પડશે. આ નિયમ 1 ડિસેમ્બર 2023થી લાગૂ પડવાનો છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati