- National
- સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, હવે મહિને મળશે આટલા લાખ રૂપિયા
સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, હવે મહિને મળશે આટલા લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન અનુસાર, આ સુધારેલ પગાર ધોરણ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. મોદી સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને, સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં સુધારો કર્યો છે.

હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો, પહેલા સંસદ સભ્યોને મહિને 1,00,000 રૂપિયા પગાર મળતો હતો અને હવે તે વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેને 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યો છે. સભ્યો અને ભૂતપૂર્વ સંસદસભ્યો માટે માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, વધારાનું પેન્શન પહેલા દર મહિને 2,000 રૂપિયા હતું, જેને વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે.
https://twitter.com/ANI/status/1904125547007107265
આ સુધારો સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ 2018માં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વધારાથી સરકારી તિજોરી પર નાણાકીય અસર થવાની ધારણા છે, કારણ કે 543 લોકસભા સાંસદો, 245 રાજ્યસભા સાંસદો અને ઘણા ભૂતપૂર્વ સાંસદોને વધેલા પેન્શનનો લાભ મળશે. પગાર અને ભથ્થાં ઉપરાંત, સેવારત સાંસદો અન્ય અનેક લાભોનો પણ ફાયદો લે છે. સાંસદોને તેમના મતવિસ્તારમાં કામ કરવા માટે દર મહિને રૂ. 70,000 અને ઓફિસ ખર્ચ માટે દર મહિને રૂ. 60,000નું મતવિસ્તાર ભથ્થું મળે છે. આમાં સ્ટાફનો પગાર, ફોન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.

સાંસદોને દર વર્ષે પોતાના અને પોતાના પરિવાર માટે 34 મફત હવાઈ મુસાફરીનો લાભ પણ મળે છે. આ સાથે તેમને કેટલીક જગ્યાએ ભાડું આપ્યા વગર રહેવાની સગવડ પણ મળે છે. જેઓ સત્તાવાર રહેઠાણ લેવા માંગતા નથી તેઓ માસિક રૂ. 2 લાખના આવાસ ભથ્થાનો દાવો કરી શકે છે. આ બધા ઉપરાંત, સાંસદોને બીજા ઘણા લાભો મળે છે. આમાં 50 હજાર યુનિટ મફત વીજળી, પરિવારના સભ્યો માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સંભાળ કવરેજનો સમાવેશ થાય છે.
Top News
બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...
UPI સર્વિસ કેમ થઈ રહી છે ડાઉન, NPCIએ જણાવ્યું કારણ
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
Opinion
