સબરીમાલા મંદિરમાં અવ્યવસ્થાઓને લઈને શું છે હોબાળો? સમજો આરોપ અને સ્પષ્ટતા

On

સબરીમાલા મંદિરમાં કથિત અવ્યવસ્થાઓને લઈને કેરળમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. હાલમાં જ ભીડના કારણે 11 વર્ષીય છોકરીનું મોત થઈ ગયું હતું, ત્યારબાદ તણાવ હજુ વધી ગયો. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દા પર સત્તાધારી વિજયન સરકાર પર પ્રહાર કરી રહી છે અને અવ્યવસ્થાઓ માટે જવાબદાર બતાવી રહી છે. સબરીમાલામાં મંડલમ મકરવિલક્કૂની સીઝન ચાલી રહી છે.

આ દરમિયાન કેરળ જ નહીં આસપાસના રાજ્યોથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ સીઝનમાં સબરીમાલા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી. રોજ લગભગ 1.20 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી રહ્યા છે. એવામાં મંદિરમાં લાંબી લાંબી લાઈનો લાગેલી રહે છે. ભક્તોને દર્શન માટે 18-18 કલાક સુધીની રાહ જોવી પડે છે. મંદિરમાં ભીડને કાબૂ કરવા માટે પ્રશાસનની તમામ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ રહી છે. કેટલીક વખત ભક્ત પોલીસ દ્વારા લગાવાયેલા બેરિકેડ તોડી રહ્યા છે એવામાં અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.

બીજી તરફ મુખ્યમંત્રી પિનારાઇ વિજયને અધિકારીઓને સ્થિતિને પહોંચીવળવા માટે તમામ પગલાં ઉઠાવવાના આદેશ આપ્યા છે. તેમાં ઓનલાઇન બુકિંગ ઓછી કરવા અને દર્શનનો સમય એક કલાક વધારવા જેવા પગલાં સામેલ છે. કેરળની સત્તાધારી પાર્ટી આ સમયે ભાજપ સાથે સાથે કોંગ્રેસના પણ નિશાના પર છે. બંનેનું કહેવું છે કે પિનારાઈ વિજયનની સરકાર સબરીમાલામાં શ્રદ્ધાળુઓની ભીડને મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. તેના માટે બંને પાર્ટીઓએ રાજ્યના દેવાસ્વોમ મંત્રી રાધાકૃષ્ણનને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપ કેરળમાં વિજયન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

કેરળ ભાજપ નેતા કુમ્મનમ રાજશેખરને સબરીમાલા પાર્કિંગ મેદાનની મુલાકાત અને શ્રદ્ધાળુઓની સુવિધાની જાણકારી લીધી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું કે, સ્થિતિને કાબૂ કરવા માટે સબરીમાલામાં 16,118 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિજયને સબરીમાલા મુદ્દા પર કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરતા મંગળવારે સંસદ સામે વિપક્ષી UDF સાંસદોના વિરોધ પ્રદર્શનની પણ નિંદા કરી. તેમણે UDF સાંસદોને રાજનીતિક લાભ માટે ભગવાન અયપ્પા મંદિરનો ઉપયોગ ન કરવાની અપીલ કરી.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati