- National
- નીતિન ગડકરી કેમ કહ્યું- મુસ્લિમોએ IAS-IPS બનવું જોઈએ, આપણે મસ્જિદમાં...
નીતિન ગડકરી કેમ કહ્યું- મુસ્લિમોએ IAS-IPS બનવું જોઈએ, આપણે મસ્જિદમાં...

દેશમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમુદાયમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા જાતિના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે વધુને વધુ મુસ્લિમ લોકો IPS અને IAS બને. નાગપુરમાં સેન્ટ્રલ ઇન્ડિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે, સમાજમાં મુસ્લિમ સમુદાયને સૌથી વધુ શિક્ષણની જરૂર છે. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

હકીકતમાં, ગડકરીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયમાં ચાની દુકાન, પાનની દુકાન, કચરો વેચવા (કબાડ)નો વ્યવસાય, ટ્રક ડ્રાઇવિંગ અને સાફ સફાઈ જેવા થોડા જ વ્યવસાયોમાં પ્રબળ છે. તેમણે કહ્યું કે જો સમાજના લોકો એન્જિનિયર, ડોક્ટર, IAS અને IPS બને તો જ સાચી પ્રગતિ થશે. તેમણે આગ્રહ કર્યો કે, આપણે મસ્જિદમાં સો વાર નમાઝ અદા કરી શકીએ છીએ. પણ જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી નહીં લઈએ તો આપણું ભવિષ્ય શું હશે?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા ગડકરીએ કહ્યું કે, મહાનતા જાતિ, ધર્મ, ભાષા કે લિંગથી નહીં, પરંતુ ગુણોથી આવે છે. તેમણે કહ્યું કે ડૉ. કલામે વિજ્ઞાનમાં યોગદાન આપ્યું અને તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. તેથી શિક્ષણને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
https://twitter.com/nitin_gadkari/status/1900808718599811392
જાતિગત રાજકારણ પર કટાક્ષ કરતા ગડકરીએ કહ્યું કે, તેઓ મત માટે જાતિગત નેતાઓને ખુશ કરવામાં માનતા નથી. એક જાહેર સભાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમણે 50,000 લોકોની સામે કહ્યું હતું કે, જો કોઈ જાતિ વિશે વાત કરશે તો તેઓ તેને જોરથી લાત મારશે. તે સમયે પણ જાતિવાદ પરનું તેમનું નિવેદન ખુબ વાયરલ થયું હતું.

એટલું જ નહીં, ગડકરીએ કહ્યું કે, શિક્ષણ માત્ર એક વ્યક્તિ અને પરિવારનો વિકાસ જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનો પણ વિકાસ કરે છે. તેમણે લોકોને જ્ઞાનને પોતાની શક્તિ બનાવવા અને જાતિ અને ધર્મના રાજકારણથી ઉપર ઉઠીને આગળ વધવા વિનંતી કરી. તેમના આ નિવેદનથી એવા સમયે ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાજકીય રીતે આપણને દરરોજ મુસ્લિમો વિશે કંઈક ને કંઈક જોવા અને સાંભળવા મળે છે. ગડકરી જે સરકારમાં મંત્રી છે, તેના ઘણા પ્રતિનિધિઓ પણ મુસ્લિમો પ્રત્યે અસ્વસ્થતા અનુભવે છે.
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)