- National
- વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર એક પછી એક ઝટકા મળી રહ્યા છે, ચૂંટણીમાં ભારે ન પડી જાય
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર એક પછી એક ઝટકા મળી રહ્યા છે, ચૂંટણીમાં ભારે ન પડી જાય

એવું લાગી રહ્યું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ વક્ફ સંશોધન બિલને સમર્થન આપીને ભૂલ કરી દીધી છે. મોહમ્મદ કાસિમ અન્સારી બાદ હવે JDUના નેતા મોહમ્મદ શાહનવાઝ મલિકે પણ રાજીનામું આપી દીધું છે. તેઓ જમુઈના જિલ્લા અધ્યક્ષ અને લઘુમતી સેલના રાજ્ય સચિવ પણ હતા. JDUએ વક્ફ સંશોધન બિલને સમર્થન કર્યું છે અને રાજીનામા પાછળનું કારણ આજ છે.

શાહનવાઝ મલિકે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ રાજીનામું લખ્યુ છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ અને અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. શાહનવાઝ મલિકે તેની જાણકારી (કોપીની નકલ) JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાને પણ આપી છે. પાર્ટીના લઘુમતી પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ અશરફ અંસારીને પણ તેની બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે.
મલિકે શું લખ્યું છે પત્રમાં?
રાજીનામાનો પત્ર ગુરુવાર (03 એપ્રિલ, 2025)ની તારીખનો છે. JDU નેતા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા મોહમ્મદ કાસિમે પોતાના રાજીનામામાં જે વાત લખી હતી, એજ વાત શાહનવાઝ મલિકે પણ લખી છે. આમ કહીએ તો, આખી લાઇન એજ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે મલિકે રાજીનામામાં લખ્યું છે કે, ‘અમારા જેવા લાખો અને કરોડો ભારતીય મુસ્લિમોનો અતૂટ વિશ્વાસ હતો કે તમે વિશુદ્ધ રૂપે સેક્યૂલર વિચારધારાના ધ્વજવાહક છો, પરંતુ હવે આ વિશ્વાસ તૂટી ગયો છે.’

શાહનવાઝ મલિકે કહ્યું કે, નીતિશ કુમારે વક્ફને સમર્થન આપ્યું છે તે ખૂબ જ અફસોસની વાત છે. જેના કારણે આજે હું રાજીનામું આપી રહ્યો છું. જે પ્રકારે લલન સિંહે તેવર સાથે પોતાની વાત રાખી તે અમારા માટે ખૂબ જ દુઃખદ છે. ખૂબ રાહ જોયા બાદ, ઘણી આશાઓ બાદ, બધી વાત સામે આવ્યા બાદ, અમારા મુસ્લિમોનું દિલ તૂટી ગયું છે. JDU અને નીતિશ કુમાર બંનેને અલવિદા કહું છું.
Top News
અશ્વિન YouTube ચેનલને લઈ મુશ્કેલીમાં, વિવાદ વધતા CSKનું કવરેજ નહીં કરવાનો નિર્ણય લીધો
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
Opinion
-copy-recovered3.jpg)