ટિકિટ ન આપી તો કોંગ્રેસમાં જતો રહીશ, હરિયાણા BJPના દિગ્ગજની ખુલ્લી ચીમકી

On

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટેન્શન વધારતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે દાવો કર્યો કે, જો તેમણે ટિકિટ ન આપી તો તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ જશે. તેઓ રાજ્યની હાઇપ્રોફાઇલ સીટ બાદશાહપુરથી ટિકિટ માગી રહ્યા છે. ખાસ વાત છે કે, આ સીટ પર વરિષ્ઠ નેતા સુધા યાદવથી લઇને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના પૂર્વ OSD સહિત ઘણા નેતા દાવેદારી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાવ નરબીર સિંહે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ આ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે. વર્ષ 2019માં મને ટિકિટ મળી નહોતી. આ વખત હું અપક્ષ ઉમેદવાર બનીને ચૂંટણી નહીં લડું. મેદાનમાં માત્ર 2 જ પાર્ટીઓ છે. તો જો ભાજપ મને ટિકિટ નથી આપતી, તો હું કોંગ્રેસમાં સામેલ થઇ જઇશ. રાવ નરબીર સિંહનો દાવો છે કે બાદશાહપુર વિધાનસથા સીટ પરથી તેઓ જ જીતનારા ઉમેદવાર છે. એવા સમાચાર છે કે પૂર્વ સાંસદ સુધા યાદવ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તેઓ બાદશાહપુર સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. એવામાં નરબીર સિંહને ટિકિટ મળવાની સંભાવનાઓ ઓછી નજરે પડી રહી છે. જો કે, અત્યાર સુધી પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી નથી. એ સિવાય ગુરુગ્રામના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દરજીત સિંહ પણ બાદશાહપુર અને અહિરવાલના ટિકિટ વિતરણમાં સક્રિય નજરે પડી રહ્યા છે. વર્ષ 2019માં હારનો સામનો કરનાર મનીષ યાદવ પણ ટિકિટની ઇચ્છા રાખી રહ્યા છે. તો ખટ્ટરના પૂર્વ OSD જવાહર યાદવ પણ અહી એક્ટિવ છે. એ સિવાય ભાજપના જિલ્લા અધ્યક્ષ કમલ યાદવ પણ દાવેદારી રજૂ કરી રહ્યા છે.

જો કે, જવાહર યાદવ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીની વિચારધારા સાથે કામ કરતા રહેશે. મતદારોની સંખ્યાના હિસાબે પણ એ રાજ્યની સૌથી મોટી સીટ છે. ગુડગાંવ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી 9 સીટોમાંથી એક બાદશાહપુર સેગમેન્ટમાં 4.5 લાખ મતદાતા છે. રિપોર્ટમાં ભાજપના અનુમાનના સંદર્ભે બતાવવામાં આવ્યું કે બાદશાહપુરમાં લગભગ 1.25 લાખ અહીર (યાદવ), 60 હજાર જાટ, 50 હજાર અનુસુચિત જાતિના સભ્ય, 35 હજાર બ્રાહ્મણ અને 30 હજાર પંજાબી છે. સાથે જ અહી ગુજ્જર, રાજપૂત અને મુસ્લિમ વોટર પણ છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati