ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય, જો આટલું કરશે તો નવું વીજ જોડાણ

નવા વર્ષની શરૂઆત ગુજરાતના ખેડુતો માટે સારી રહી છે. ગુજરાત સરકારે ખેડુતો માટે એક એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેને લીધે જગતના તાતને મોટો ફાયદો થશે.સરકારે કહ્યું છે કે જો આટલું કરશો તો તમને નવું વીજ જોડાણ મળી શકશે. રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ ખેડુતો માટે મહત્ત્વની જાહેરાત કરી છે.

નવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગ (સરફેસ વોટર)થી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કેટલાક નિર્ણય લીધા છે. ત્યારે વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને ખેડુત આર્થિક રીતે વધુ સમૃદ્ધ બની શકશે.

મંત્રીએ આગળ કહ્યું કે,, આ નિર્ણયથી ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નોંધાશે. આ સાથે રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.

જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે એ વિસ્તારોમાં કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોએ સરકારને રજૂઆત હતી જેને જે ધ્યાનેલઈનેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણેઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અનેકચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોનેલાભ મળશે.

ગુજરાત સરકારના આ નિર્ણચને કારણે ભૂગર્ભ જળની બચત થશે. ઉપરાંત 5 હોર્સ પાવરના ખેતીવાડી વીજ જોડાણના વપરાશકોને બિલમાં પણ ફાયદો થશે. ખેડુતો પોતાના ખેતરમાં ખેત –તલાવડી બનાવી શકશે.

રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી હોજ ઉપરાંત સંપ, ટાંકા અનેખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલા ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચેબનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.